રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
નર્મદા જીલ્લા મા વસવાટ કરતા રજપુત સમાજ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે છે, ત્યારે સમાજ દ્વારા સંચાલિત નર્મદા જીલ્લા રાજપૂત સમાજ સેવા સમિતિ ના નવા વર્ષ ના પ્રમુખ પદે રાજપીપલા ના પ્રસિધ્ધ એડવોકેટ જીતેન્દ્ર સિંહ જોરાવરસિંહજી ગોહિલ ની સર્વમતે વરણી કરવામાં આવેલ હતી, રાજપુત સમાજ દ્વારા પોતાનામાં વિશ્વાસ મુકી પોતાને જવાબદારીઓ સોંપી એ બદલ એડવોકેટ જીતેન્દ્ર સિંહે અભાર પ્રગટ કર્યો હતો.
નર્મદા જિલ્લા રાજપૂત સમાજ દ્વારા પણ ખુબ ખુબ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને તેઓશ્રીના નેજા હેઠળ રાજપૂત સમાજ ખૂબ પ્રગતિ કરે એવા ખૂબ પ્રગતિ કરે એવો આશાવાદ વ્યક્ત કરાયો હતો.