રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
વન વિભાગ દ્વારા યોજાનાર વન સેતુ ચેતના યાત્રા જીલ્લા નાં તમામ તાલુકાઓ માં યોજાશે
રાજ્યના વિવિધ તાલુકાઓમાં તા.૧૮મી થી ૨૨મી જન્યુઆરી ૨૦૨૪ સુધી વન સેતુ ચેતના યાત્રા યોજાશે. આ યાત્રા નવસારી, ડાંગ, સોનગઢ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, વડોદરા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠાના વિવિધ સ્થળો પર યાત્રા કાર્યક્રમ યોજાશે.
નર્મદા જિલ્લામાં નાયબ વન સંરક્ષક નીરજકુમારના અધ્યક્ષતામાં તા. ૧૯ મી જાન્યુઆરી રોજ સાંજે ૦૪: ૪૫ કલાકે રાજપીપલા ખુંટાઆંબા ખાતે અને ૦૫:૩૦ થી ૦૭:૦૦ કલાકે રાજપીપલા હરસિધ્ધિ માતાના મંદિરે યોજાશે. ત્યારબાદ તા.૨૦મી જાન્યુઆરીએ સવારે ૦૯:૪૫ કલાકે ગરૂડેશ્વર તાલુકાના ભાદરવા મંદિર ખાતે આ યાત્રા કાર્યક્રમ યોજાશે.