નરેન્દ્ર મોદી વિચાર મંચમાં મીડિયા કન્વીનર તરીકે કાળુભાઈ પાંચિયાની વરણીથી શુભેચ્છાઓની વર્ષા

મોરબી, આરીફ દીવાન :-

“નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈ ટી સેલ મા હોદેદારોની વરણી લોકસભા 2024 અંતર્ગત ગુજરાતમાં સંગઠન મજબૂત સાથે વિકાસલક્ષી કાર્યને સ્થાન”

હાલ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ભાજપના ધારાસભ્ય સંસદ સભ્ય સહિત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત સમગ્ર ભાજપ પાર્ટી પક્ષના કાર્યકરો હોદ્દેદારો ગુજરાતમાં લોકસભા 2024 અંતર્ગત એક જૂથ સાથે ગુજરાતના વિવિધ શહેર જિલ્લામાં નવા પરિવર્તન સાથે નવી સોચ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈ ટી સેલ માં હોદ્દેદારો કાર્યકરો ની વરણી કરવામાં આવી છે જેથી સમગ્ર ગુજરાત મા 33 જિલ્લા 248 તાલુકા સહિત ૧૮ હજાર જેટલા ગ્રામ્ય વિસ્તારો માં ભારતીય જનતા પાર્ટી ભાજપ દ્વારા વિકાસ લક્ષ્ય કાર્યનો લાભ મતદાર પ્રજાને ઝડપી અને સરળતાથી મળી રહે તેવા પ્રજા ચિંતક ઉદ્દેશ સાથે જિલ્લા તાલુકા પંથકમાં હોદ્દેદારોની વર્ણી કરવામાં આવી છે જેમાં પ્રદેશ વિશ્વાસ કાર્યાલયથી સક્રિય ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકરો હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈટી સેલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હિતેશ ગીરી ગોસ્વામી એ ગુજરાતમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈ ટી સેલ ના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી ભાજપના સંગઠનને મજબૂત કાર્યકરો હોદ્દેદારોની નિમણૂક કરી નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈ.ટી.સેલ માં સ્થાન આપી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા પંથક માં કાળુભાઈ પાચીયા ને મીડિયા કન્વીનર તરીકે નિમણુક કરી છે જેથી સમગ્ર ભારતીય જનતા પાર્ટી ભાજપના હોદ્દેદારો કાર્યકરો આવકાર સાથે ભારતીય જનતા પાર્ટી ભાજપના મતદાર ચાહકો દ્વારા કાળુભાઈ પાંચિયાને હાર્દિક શુભેચ્છા અભિનંદન પાઠવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here