કાઠીયાવાડ મજૂરી અર્થે જતા શ્રમિકોના પરિવારને બોડેલી તાલુકાના ચારોલા હદ પાસેની નર્મદા કેનાલ પાસે સર્જાયો ગંભીર અકસ્માત બે બાળકોના મોત

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

મધ્યપ્રદેશની પ્રાઇવેટ પાર્સિંગ ની તુફાન ગાડી જેનો રજીસ્ટર નંબર છે mp 69, B, 0181 આદિવાસી પરિવારના બાળકો ઉપર બેઠા હતા અને ગત રાત્રે અકસ્માત થયો હતો અને આ કુટુંબ ઉપર જનો આભ તૂટી પડ્યું હતું તેવુ તેમના પરિવાર રુદન કરતા હતા
બોડેલી નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પર લગાવેલા એંગલ સાથે તુફાન ગાડી અથડાતા બોડેલી ના ચારોલા ગેટપાસે સર્જાયો અકસ્માત અકસ્માતમાં બે બાળકોના મોત
મધ્યપ્રદેશ થી સૌરાષ્ટ્ર જતી તુફાન ગાડીમાં ખીચો ખીચ ભરેલા હતા ગરીબ આદિવાસી શ્રમિકો અને તુફાન ગાડી ના ઉપર પણ બેસાડેલા હતા શ્રમિકો અને બાળકો અકસ્માત સર્જાતા ગાડી ની ઉપર બેઠેલા બે બાળકોના મોત નીપજ્યા હતા મધ્યપ્રદેશના જોબટ ના પાનગોલા ગામ ના રહેવાસી કાઠિયાવાડ મજુરી માટે જતાં હતા ત્યારે મોરખલા કેનાલ પાસે ગંભિર અકસ્માત થયો હતો મધ્યપ્રદેશની પાર્સિંગ વાળી તુફાન ગાડી માં ખીચો ખીચ આદિવાસી શ્રમિકો બેસાડ્યા હતા અને ગાડીની ઉપર પણ બાળકોને બેસાડ્યા હતા અને મોટર સાયકલો મૂકી પણ ગાડીના કેરિયલ ઉપર મૂકી હતી ત્યારે સ્પીડમાં તુફાન ગાડી જતા નર્મદા કેનાલ ઉપર મૂકેલી એંગલ એંગલ પર બે બાળકો અથડાયા હતા અને બે બાળકોના મોત નીપજ્યા હતા મૃતક (૧)અનિલભાઈ કલમસિંહ શિંગડીયા આસરે ઉમર ૧૩ (૨) મૃતક રમેશભાઈ ભુરાભાઈ પલાસિયા ઉંમર વર્ષ ૧૩ રહે ધેલવાની જીલ્લો ધાર તાલુકો કુકસી તુફાન ગાડીનો ડ્રાઇવર ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here