નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
આજરોજ છોટાઉદેપુર દરબાર હોલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કાર્યકર્તા સાથે બેઠક યોજી હતી જેમા “વચન પાડ્યા છે પાડીશુ ગુજરાત નુ માન વધારીશુ” સૂત્ર ને સાકાર કરવા આજે મુખ્યમંત્રી શ્રી એ છોટાઉદેપુર ખાતે બેઠક યોજી હતી જેમા આદિવાસી નૃત્ય સાથે સ્વાગત કરવામા આવ્યુ હતુ અને સંગઠન ના હોદ્દેદારો એ મુખ્યમંત્રી શ્રી નુ ભવ્ય સ્વાગત કર્યું હતુ અને કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામા આવી હતી જીલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા એ સંવાદ કર્યો હતો તેમા જણાવ્યુ કે ૧૫ઓગષ્ટ ૨૦૧૩ના રોજ છોટાઉદેપુર જિલ્લો બન્યો અને ત્યારના મુખ્યમંત્રી આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા અને ભાજપ ના મૂળિયા મજબૂત થયા છે અને દરેક સમાજ ભાજપ પાર્ટી મા વિશ્વાસ ધરાવે છે અને આપણા છોટાઉદેપુર જીલ્લામા રાણી સુખી જેવા ડેમ આવેલા છે દાહોદ પંચમહાલ આ જીલ્લા સાથે જોડાયેલા છે તેવી ઉપેન્દ્ર પટેલ દ્રારા વાત કરવામા આવી હતી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નુ સ્વાગત ફુલમાળાઓ પહેરાવી કરવામા આવ્યુ હતુ અને ગોરધનભાઈ ઝડપીયા તથા રમેશભાઈ ઉકાણી તથા રામસિંહભાઈ રાઠવા પણ સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતા અને છોટાઉદેપુર જિલ્લાના તમામ સંગઠનો ના હોદ્દેદારો હાજર રહ્યા હતા.