આમ આદમી પાર્ટી જાંબુઘોડા દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું..

જાંબુઘોડા,(પંચમહાલ) એસ વી ચારણ (બોડેલી) :-

જાંબુઘોડા તાલુકા પંચાયત માં આવેલ કરા જૂથ પંચાયતના કણજી પાણી ગામમાં વિકાસ લક્ષી વિવિધ યોજનાઓના કામમાં ભ્રષ્ટાચાર થયેલો જોવા મળે છે આ સાથે માહિતી પેપર જોડીને જાબુઘોડા તાલુકા વિકાસ અધિકારી શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો સાથે આ કામ પેપર ઉપર થયેલ છે જ્યારે સ્થળ ઉપર કામો થયેલ નથી તેથી આપ શ્રી તાલુકા વિકાસ અધિકારી આપ સ્થળ પર આવીને તપાસ કરી ભ્રષ્ટાચાર કરનાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ ની નમ્ર વિનંતી કરવામાં આવે છે છેલ્લા પાંચ વર્ષમાં સી.સી.રોડ 10 ચેકડેમ 65 માટે મેટલના રસ્તા 27 કર્યા હોવાનું ઓન પેપર માં બતાવે છે જેથી ગંજીપાની ગામમાં વર્ષ 2018 19 માં થયેલ મનરેગા માં થયેલ સી.સી.રોડ સ્થળ પર તપાસ કરવામાં આવે તો તેથી ભ્રષ્ટાચાર થતો અટકશે એવું આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જિલ્લા પંચમહાલ આમ આદમી પ્રમુખ શ્રી દિનેશભાઈ બારિયા તેમજ આમ આદમી પાર્ટી કાર્યકર્તા જાંબુઘોડા તાલુકાના જયેશભાઈ બારીયા સાથે કાર્યકર્તાઓ નાયક જગદીશ પુનમભાઈ હવેલી વાળા તેમજ બારીયા નવનીતભાઈ લલ્લુભાઈ વાડીયા તેમજ બારીયા હાર્દિકભાઈ વખતસિંહ કરા તેમજ નાયક મહેશભાઈ રવજીભાઈ ગામ કેવા તેમજ બારીયા અર્જુન ભાઈ નટુભાઈ જોટવડ. અને તડવી ભીખાભાઈ મથુરભાઈ. કણજી પાણી સાથે રહીને. જાબુધોડા તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી ને આજરોજ આવેદનપત્ર પાઠવ્યું હતું અને આની યોગ્ય તપાસ કરવા માંગ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here