જાંબુઘોડા, (પંચમહાલ) ચારણ એસ વી :-
જાંબુઘોડા તાલુકાના ઉચેટ ઙૂમા ગામ પાસેથી પસાર થતી નર્મદા મેન કેનાલમાંથી વડોદરાની આસરે ૩૦ વર્ષીય મહિલાનો મૃતદેહ પાણીમાં તણાતો મળી આવ્યો. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર ફોટો વાયરલ કરતા મૃતુકના માતા પિતા છોટાઉદેપુર થી દોડી આવ્યા
સોશિયલ મીડિયાના માધ્યમથી પરિવારોને જાણ થતા પરિવારજનો જાંબુઘોડા પોલીસ મથકે પહોંચ્યા કેનાલ થી પસાર થતા રાહદારી ઓ દ્વારા 108 તેમજ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પોલીસ ને બનાવની જાણ કરવામાં આવી હતી મૃતક યુવતી મૂળ રહેવાસી છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ગામની અને વડોદરા ગુનાતીથ ધામ સોસાયટી અટલાદરા વડોદરા ખાતે પરણાવી હતી જેનું નામ પ્રિયંકા બેન નીરજ કુમાર વરિયા હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે મૃતકા પ્રિયંકા ને સંતાન માં એક ત્રણ વર્ષનો ધૈર્ય નામનો પુત્ર છે તેવુજાણવા મળીયુ છે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પોલીસે મૃતક ની ડેટ બોડીને પી એમ અર્થે મોકલીદેવામા આવી છે જાંબુઘોડા પોલીસ તપાસ હાથધરી છે હત્યા કે આત્મહત્યા તે તો પોલીસ તપાસમા જ બહાર આવી શકે તેમ છે.