પંચમહાલ : સસ્તા અનાજની દુકાનના પરવાનેદારની જીલ્લા પુરવઠા અધિકારીએ પ્રશંશા કરી…

જાંબુઘોડા, (પંચમહાલ) જાવેદ એન કુરેશી :-

જાંબુઘોડા તાલુકાના હવેલી ખાતે આવેલી છે આ સસ્તા અનાજની દુકાન જે પ્રસંશનીય છે

પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એ પંચમહાલ જિલ્લાની સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક તપાસો કરી કેટલાક દુકાનોના પરવાના રદ તેમજ સસ્તા અનાજોની દુકાનોમાં ગેરરીતી ઝડપાતા કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે ત્યારે તારીખ ૨૪/૧૨/૨૦૨૩ ના રોજ જાંબુઘોડા તાલુકાના હવેલી ગામે આવેલ વ્યાજબી ભાવની દુકાન FPS જેઓના પરવાનેદાર સુભાષભાઈ હરજીવનભાઈ બારીઆ તેઓને ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણા અને તેઓની ટીમે અચાનક આવી તપાસ કરતા જિલ્લા પુરવઠા અધિકારીએ આપેલ તમામ સૂચનાઓનું પાલન કરેલ જણાયુ હતું. જેમકે ભાવ,જથ્થો, અને તેની કીમત, ઉઘડતો સ્ટોક, બંધ સ્ટોક, તકેદારી સમિતિની વિગત, FPS nu નિયત નમૂનાનું બોર્ડ, BPL કાર્ડ ધારકોની યાદી, અંત્યોદય કાર્ડ ધારકોની યાદી, દુકાનમાં સ્વચ્છતા, ફરિયાદ પેટી,કાચની બરણી મા લીધેલ અનાજના નમૂના વગેરે બાબતો ની તકેદારી રાખી હોવાનું તપાસ મા માલુમ પડતાં જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી મકવાણાએ સુભાષભાઈ બારીઆ દ્વારા સારી એવી કામગીરી કરી રહેલાને જોઈ ખુશ થઈ ગયા હતા અને તેઓએ પરવાને દાર સુભાષભાઈ બારીયા ના કામની પ્રશંસા કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here