કદવાલ,(છોટાઉદેપુર)આદિત્ય ગુપ્તા :-
છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ એવા કદવાલ અને ભીખાપુરા ગામેથી અભ્યાસ અર્થે અન્ય નગરોમાં જતા બાળકોને સરકારી બસ ની અનિયમિતતા તેમજ અવગળતાના વિરોધમાં આજરોજ એટલે કે સોમવાર ના રોજ મળસ્કે 4 વાગ્યે કદવાલ ચોકડી પર બસ રોકો આંદોલનના એલાન સાથે મહાકાલ સેના ના પ્રમુખ વિરલ ભાઈ તથા વાલી મંડળ ના પ્રમુખ મનીષભાઈના નેતૃત્વમાં ગ્રામ્યજનો ભેગા થવાના હતા..અને કદવાલ હાઈસ્કૂલ, તેમજ ભીખાપુરા હાઈસ્કૂલ વિદ્યાર્થીઓ ના વાલીઓ ને આ સમયે હાજર રહેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. જેથી આ વિસ્તારમાં આવતા દરેક વિદ્યાર્થીઓ ને અગવડતા ન પડે અને એમને સ્કૂલના સમયે એમને બસમાં આવવા માટે સગવડતા મળી રહે.
જેબાબતે મહાકાલ સેના દ્વારા પોલીસ પ્રશાસન ની મધ્યસ્થી દ્વારા અને પીએસઆઇ શ્રી ની સમજાવટ થી વડોદરા નિયામક શ્રી તેમજ ગોધરા નિયામક શ્રી જોડે વાતચીત કરતા બંને નિયામક શ્રીઓ એ જવાબદારી લઈ ને માંગણીઓ સંતોષવા માટે સહેમત થયા છે તો આ આંદોલન પોલીસ ની સહમતી થી પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું આ સમયે પૂર્વ ધારાસભ્યશ્રી વેચાતભાઈ બારીઆ પણ ઉપસ્થિત રહ્યા હતા.