પાવીજેતપુરના કદવાલ ગામે શેઠ શ્રી એમ એ કદવાલવાલા હાઈસ્કૂલ ખાતે ડો.આંબેટકર જયંતિ ઉજવવામાં આવી…

કદવાલ,(છોટાઉદેપુર) આદિત્ય ગુપ્તા :-

ગત રોજ છોટા ઉદેપુર જીલ્લા ના પાવી જેતપુરના કદવાલ ગામે શેઠ શ્રી એમ એ કદવાલવાલા હાઈસ્કૂલ ખાતે ડૉ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિતે દિપ પ્રગટાવી કાર્યક્રમનું શુભારંભ કરવામાં આવ્યો હતો, ડોકટર બાબા સાહેબ આંબેડકર જયંતીના કાર્યક્રમ ની શરૂઆત રાત્રીના 9:00 કલાકેથી કરવામાં આવી હતી.અને 10: 00 વાગે પૂર્ણ કરવામાં આયો હતો આ કાર્યક્રમમાં પાવી જેતપુર વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય શ્રી વેચાતભાઈ બારીઆ , પ્રદેશ કારોબારી સભ્ય શ્રી રમેશભાઈ રાઠવા , છોટાઉદેપુર જિલ્લા બક્ષીપંચ મોરચા મહામંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ ઠાકોર , પાવી જેતપુર તાલુકા બક્ષીપંચ મોરચા મહામંત્રી શ્રી વિરલભાઇ બારીઆ ,એકતા મંચ ના પ્રમુખ શ્રી નટુભાઈ સોલંકી , એસ સી મોરચા ના જિલ્લા ઉપપ્રમુખ અશોકભાઈ , એસ સી મોરચા ના તાલુકા મહામંત્રી રમણભાઈ , તાલુકા બક્ષીપંચ મોરચાના કોષાઅધ્યક્ષ બિપીનભાઈ તેમજ અન્ય કાર્યકર્તા મિત્રો તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here