સતત ફરજ બજાવતી પોલીસને તણાવ મુક્ત કરવા નર્મદા જીલ્લા પોલીસે યોગા અને મેડીટ્રેશનનાં કાર્યક્રમ યોજ્યા…

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

તણાવ મુક્ત થવાના સેમીનારમાં 146 પોલીસ કર્મી સહિત અધિકારીઓ એ ભાગ લીધો

પોલીસ વિભાગ માં સતત ફરજ બજાવી નોકરી ના ભારણ થી પોલીસ કર્મચારીઓ સતત માનસિક તાણ અનુભવતા હોય છે, માનસિક તાણ નોકરી ના ભારણ થી અનેક પોલીસ જવાન મોત ને પણ ભેટતા હોય છે તયારે નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરર્સિહ એ પોલીસ જવાનોને માનસિક તાણ માથી દૂર કરવા માટે પોલીસ હેડ ક્વાર્ટર જિત્નગર ખાતે યોગા અને મેડીતટ્રેશન ના સેમીનાર નું આયોજન કર્યુ હતું.

પોલીસ માણસો સ્ટ્રેસ ફ્રી રહે તે માટે પોલીસ હેડ કવાટર (જીતનગર) રાજપીપલા, નર્મદા ખાતે હાર્ટફુલનેસ સંસ્થા સાથે મળીને આજ રોજ સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગે યોગા અને મેડિટેશન માટેના સેમિનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં 146 જેટલા અધિકારી કર્મચારીઓએ ભાગ લીધેલ હતો.

પોલીસ જવાનો એ આ અંગે જનાવ્યું હતું કે આવા સેમીનાર સમયાંતરે થવા જોઈએ કે જેથી અમારા વિભાગ માં માનસિક તાણ અનુભવતા જવાનો ને મદદરૂપ થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here