સંખેડા ખાતે મુસ્લિમ સમાજના વ્યક્તિઓ વચ્ચે પૈસાના લેવડદેવડમાં એક વ્યક્તિનું મોત…

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ૬૨વર્ષની વ્યક્તિ જમીયલ ભાઈ મહમંદભાઈ ઠાકોર ઉછીના પૈસાની લેવડદેવડમાં મોત થયું હતું આ પૈસાની લેવડદેવડમાં જમિયલ ભાઈ મહમંદભાઈ ઠાકોરના ગુપ્તાંગના ભાગે વાગી જતા સારવાર દરમિયાન મોત થયું હતું ત્યારે ૩૦૨/૧૧૪ ની ફરિયાદ દાખલ થઈ એમાં બે આરોપી નામે સિંધી સફીભાઈ મહમદભાઈ અને તેમના પત્ની રેહાના બાનુ સફીભાઈ સિંધી વિરુદ્ધ ફરિયાદ થઈ મહમંદભાઈ ઠાકોર જેમને પાંચ વર્ષ પહેલા ૫૫ હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા તેની માંગણી કરતા છુટા હાથ પગની મારા મારી માં મહંમદ ભાઈ ઠાકોરને ગુપ્તાંગના ભાગે વાગી જતા સારવાર અર્થે મોત થયું હતું ત્યારે આરોપી ફરાર થઈ ગયા હતા જેને લઈને સંખેડા પોલીસના પી.એસ.આઇ ડામોર સાહેબ તેમજ પોલીસ સ્ટાફ સોધખોળ કરી હતી ક્યારે સંખેડા પોલીસને બાતમી મળતા સિંધિયા પુરા ગામ પાસેથી હત્યાના આરોપી સફીભાઈ મહમંદભાઈ સિંધી અને તેમની પત્નીને સંખેડા પોલીસે સીંધયાપુરા ગામ પાસેથી ગણતરી ના કલાકોમાં eeco ગાડી માથી ઝડપી પાડ્યા હતા અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here