સંખેડા, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
છોટા ઉદેપુર જીલ્લાના સંખેડા ખાતે કર્મા હેલ્થકેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્પર્શ સંજીવની સેટેલાઈટ ક્લિનિક ને 2 વર્ષ પુરા થયા ના ઉપલક્ષ્ય માં 29 માર્ચ 2024 ના રોજ આગેવાનો ના ઉપસ્થિતીમાં સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમમાં પ્રમુખ ઉપસ્થિતિ તરીકે સંખેડા ગામના સરપંચ નિતીનકુમાર, ગણેશ હ્યુન્ડાઇ બોડેલી ના મેનેજર હિતેશ રાણા, સંસ્થાના પ્રતિનિધિ વિજય વાઘ, સંસ્થાના કર્મચારી વર્ગ જૈમીન ડબગર અને શુંગાભાઈ ડુભીલ સાથે જ સંખેડા ગ્રામ્યવિસ્તારના ગ્રામ જનો ઉપસ્થિત હતા.
સંસ્થાના પ્રતિનિધિ વિજય વાઘ ના જણાવ્યા મુજબ ગયા બે વર્ષ માં સંખેડા ગ્રામ વિસ્તારના 4000 થી વધારે દર્દીઓને ટેલિમેડિસીનના ના માધ્યમથી મોટા શહેરોના નિષ્ણાંત ડોકટરો દ્વારા સારવાર મળી. સ્પર્શ સંજીવની સેટેલાઈટ ક્લિનિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોવાથી રાહત દરે ડોકટરની ફી અને દવાઓ મફત આપવામાં આવે છે.
સંખેડા ગામમાં સ્થિત આ ક્લિનિક માં અનેક બીમારીઓની સારવાર નિષ્ણાંત ડોકટરો દ્વારા કરવામાં આવે છે જેમાં નાના બાળકોના, ચામડીના રોગો ના, હાડકાના, સ્ત્રી રોગના નિષ્ણાંત, સામાન્ય રોગોના ડોકટર ઓનલાઇન ઉપલબ્ધ થાય છે. સ્પર્શ સંજીવની સેટેલાઈટ ક્લિનિક ની ગુણવત્તાપૂર્ણ સેવાઓના કારણેથી લોકોના પૈસા અને સમયની બચત થાય છે. આ પ્રસંગે સંસ્થા તરફથી સંખેડા ગામનાં 100 બાળકોને શૈક્ષણિક સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું.
સંખેડા ના ગ્રામ જનોમાં આ કિલનીકનાં ખુલવાથી ઉત્સાહ નું વાતાવરણ છે.