રાજપીપળાના DYSP જી. એ. સરવૈયા અને કેવડીયાના DYSP વાણી દુધાતની બદલીઓના ગંજીફા ચીપાયા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

જી એ સરવૈયા ની મદદનીશ પોલીસ કમિશનર આર્થિક ગુના નિવારણ શાખા સુરત ખાતે બદલી

વાણી દુધાતની મદદનીશ પોલીસ કમિશનર તરિકે અમદાવાદ ખાતે બદલી

વિભાગીય પોલીસ અધિક્ષક નર્મદા તરીકે લોકેશ યાદવ અને કેવડિયા DYSP તરીકે સંજય શર્માની નિમણુક

લોકસભાની ચૂંટણીઓ નુ જાહેરનામુ ટૂંક સમયમાં જ જાહેર થવાનો છે ત્યારે રાજ્ય સરકારના ગૃહ વિભાગે નાયબ જિલ્લા પોલીસ વડાઓની બદલીઓનો ગંજીબો આજરોજ ચીપિયો છે. જેમાં નર્મદા જિલ્લાના રાજપીપળાના DYSP જી એ. સરવૈયા અને કેવડિયા ના DYSP સુશ્રી વાણી દુધાતની બદલીઓના આદેશ જારી કરવામાં આવ્યા છે.

રાજપીપળા ના DYSP જી. એ. સરવૈયા ની બદલી મદદનીશ પોલીસ કમિશનર આર્થિક ગુના નિવારણ શાખા સુરત ખાતે કરવામાં આવી છે ત્યારે તેમની જગ્યાએ રાજપીપળા ના DYSP તરીકે આઇપીએસ કેડરના લોકેશ યાદવની નિમણૂક કરવામાં આવી છે.

કેવડિયા કોલોની ના DYSP સુશ્રી વાણી દુધાત ની બદલી મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન અમદાવાદ ખાતે કરવામાં આવી છે જ્યારે તેઓની જગ્યાએ કેવડિયા DYSP તરીકે સંજય શર્મા કંટ્રોલરૂમ ગાંધીનગર ખાતેથી કેવડિયા દિવસ ડીવાયએસપી તરીકે નિયુક્તિ પામ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here