પાલનપુર,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
પાલનપુર માં આવેલ માલણ દરવાજા વિસ્તાર રામપરા જવાના રસ્તે જમ જમ વિલા ની સામે ભંગારની લાઠી મા અચાનક આગ લાગવાથી અફરાતફરી મચી ત્યાં આજુબાજુ ૨૦ ભંગાર લાઠી બીજી પણ આવેલી છે એ લોકો એમના ફાયદા માટે બીજાની જાન જોખમમાં નાખે છે અને ત્ત્યાં આજુબાજુ માં 300 મકાન આવેલ છે અત્યારે બહુ ભયંકર આગ લાગેલ છે હજુ સુધી આગ ઉપર કાબૂ મેળવી નથી લાઠીના બાજુમાં લાલા ભાઈ નુ ઘર આવેલ છે અત્યારે એમનો જીવ હાથ ઉપર છે અને અમને ડર છે આગ અમારા ઘરમાં ઘૂસી જાય એમ છે ફાયર બ્રિગેડના છો ગાડી આવી છે છતાં હજુ સુધી આગ કાબૂ મેળવી નથી ભંગારની લાઠી વાળા એ લોકો એમના ફાયદા માટે બીજાની જાન જોખમમાં નાખે છે આ ભંગારની લાઠી બજાર બહાર હોવી જોઈએ એવું આજુબાજુ રહેવાસીઓનું કહેવું છે.