પાલનપુર, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
પાલનપુર તાલુકાના કૂપર ગામના જશીબેન અને તેમના પતિ નરેશભાઈ રવિવારે પોતાના ખેતરમાં હાજર હતા તે દરમિયાન તેમની ખેતરની બાજુમાં રહેતા સરદારપુરી ગૌસ્વામી અને તેમનો દીકરો રાજેશપૂરી અને અન્ય બે શખ્સો ખેતરમાં આવી નરેશભાઈ ને જાતી અપમાનીત શબ્દો બોલી ઠપકો આપતા હતા જેથી નરેશભાઈ જાતી વિરુદ્ધ શબ્દો બોલવાની ના કહેતા ચારે ઈસમો એકદમ ઉશ્કેરાઈ ગયા અને રાજેશપુરીએ પોતાની ફાંટમાંથી ચાકુ કાઢી નરેશભાઈના પીઠના ભાગે ત્રણ ઘા મારેલ જેથી તેમને છોડાવવા અન્ય ઈસમો વચ્ચે પડતા તેમને પણ લોખંડની પાઇપો વડે માર મારવા લાગેલા તેમજ નરેશભાઈ નીચે પડી જતા શખ્સો મારવા લાગેલા જેથી ગામના અન્ય ઈસમે વચ્ચે પડી તેમને છોડાવ્યા હતા ત્યારબાદ પોતાના હથિયારો લઇ કારમાં બેસી જતા રહેલા અને જતા જતા કહેવા લાગેલ કે આજે તો તમે બચી ગયેલ છો પરંતુ લાગ આવે તો તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી જશીબેન નરેશભાઈએ કૂપર ગામના રાજેશપુરી સરદારપુરી ગોસ્વામી, સરદારપુરી મણિપુરી ગોસ્વામી, અને અન્ય બે શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે ..