નસવાડી નગરમાં ચાર રસ્તા વણકરવાસ વિસ્તારમાં રાતના 11 વાગ્યાથી લાઈટ જતા લોકો પરેશાન

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ કુરેશી :-

નસવાડી નગરમાં ચારરસ્તા વણકરવાસ વિસ્તારમાં રાતના લાઈટ જતા ગ્રામજનોના ઘરના લાઈટ પંખા ઉડી જતા લોકો આખી રાત પરેશાની ભોગવવી પડી હતી રાતના એમ,જી,વીસીએલ ઓફિસે ગ્રામજનો રાતના જતા ત્યા એક કર્મચારીએ એન,ટી,રાઠવા સાહેબ નો નંબર આપ્યો અને સાહેબ ને ફોન કરતા એન,ટી,રાઠવા સાહેબે વાત કરી કે આતો તમારે આખી રાત વેઠવુ પડશે ભોગવવું પડશે અને એન,ટી,રાઠવા સાહેબ વડોદરા થી ગ્રામજનો સાથે વાત કરી
નસવાડી 219 ગામનો તાલુકો છે છતા ટીસી સ્પેર માં નથી તો તાલુકાના ગામડાની તો વાતજ શું કરવી ગ્રામજનો રાતના રજુઆત કરી છતાં સાહેબનો આવો ઉડાવ જવાબ સાંભળી લોકો ઘરે પરત થયા અને ટીસી પર લોડ આવેછે તો બીજી ટીસીનું આયોજન કરવા લોકમાંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here