નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-
ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ અને જિલ્લા ભાજપ ના સંગઠન દ્વારા નસવાડી તાલુકા ભાજપ માં નવ નિયુક્તિ કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે ગોપાલસિંહ શિવસિંહ ચૌહાણ અને મહામંત્રી તરીકે અનિલભાઈ કંચનલાલ શાહ ની વર્ણી કરવામાં આવી છે જેને લઈ ભાજપ ના કાર્યકરો થી માંડી નેતાઓમાં ખુશી જોવા મળી છે અને જિલ્લા અને પ્રદેશ નો અનિલભાઈએ આભાર માની સારી કામગીરી કરવાની બાંહેધરી આપી છે અને જશુભાઈએ જણાવ્યું કે સંગઠન ના આ ત્રણેય હોદ્દેદારો ૨૧૨ ગામમાં સારી કામગીરી કરી ભારતીય જનતા પાર્ટી નું સંગઠન ને મજબૂત બનાવી સારી કામગીરી કરશે આ રીતે નવા બનેલા નવનિયુક્ત પ્રમુખ તેમજ મહા મંત્રી નું સરકાર ફળિયા ચાર રસ્તા ખાતે લઘુમતી કાર્યકરો તથા ભાજપ ના કાર્યકરો દ્વારા સ્વાગત કરવાંમાં આવ્યું હતું.