નર્મદા ડેમમાથી પાણી છોડવાની પ્રક્રિયા મુદ્દે SSNNL સામે પશ્રો ઉઠાવનારાઓને નિગમનો જવાબ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

ઉપરવાસના બંઘો સાથેના સમયસર સંકલન તથા સરદાર સરોવરના સુવ્યવસ્થિત સંચાલનથી ભરૂચમાં પૂરની મોટી હોનારત થતી અટકી

ઇજનેરી સિદ્ધાન્તોને ધ્યાનમા રાખીને લેવામાં આવતા નિર્ણયો

ચોમાસાની ચાલુ સિઝન દરમ્યાન નર્મદા ડેમમા પાણીની ભારે આવક થતાં નર્મદા જીલ્લા સહિત ભરૂચ જીલ્લામા પુરની પરિસ્થિતિ સર્જાય હતી, ખેતી સહિત લોકોના મકાનો , પુલ , નાળા વિગેરેને ભારે નુકસાન પહોંચેલ છે, જેથી સરદાર સરોવર નર્મદા નિગમ લી. ના પાણી છોડવાની પ્રક્રિયા તેના સંચાલન સામે પશ્રો ઉભા થતા નિગમ દ્વારા પોતે સુઆયોજિત સંચાલન કર્યાની મિડીયા બ્રીફ રીલીઝ કરી નિગમે માહિતી આપેલ છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લીમિટેડના જણાવ્યા અનુસાર તાજેતરમાં તા.૨૯ ઓગષ્ટથી ૧ સપ્ટેમ્બર વચ્ચે સરદાર સરોવર ડેમના દરવાજા થકી હેઠવાસમાં પાણી છોડવાના સરદાર સરોવર નર્મદા નિગમના વ્યવસ્થાપન અંગે મનઘડત આક્ષેપો કરી વિવિઘ પ્રશ્નો ઉઠાવવાના કેટલાક નર્મદા યોજના વિરોઘી તત્વોના પ્રયાસો બાબતે આથી સ્પષ્ટતા કરવામાં આવે છે કે ચાલુ ચોમાસાની ઋતુમાં સરદાર સરોવર ડેમના સંચાલન તથા વ્યવસ્થાપન અંગેના નિર્ણયો સુપ્રસ્થાપિત ઈજનેરી સિઘ્ઘાંતોને ઘ્યાનમાં રાખીનેજ લેવામાં આવે છે.

ઉપરવાસના મઘ્યપ્રદેશના બંઘોના ઈજનેરો, સેન્ટ્રલ વોટર કમીશન તથા નર્મદા કંટ્રોલ ઓથોરીટી સાથે સતત સંકલન જાળવીને જે રીતે આ સંચાલન કરવામાં આવ્યું તેનાથી ભરૂચ શહેર અને તેની આજુ બાજુના ગામોમાં વિનાશક પૂરની સંભવિત મોટી હોનારત ટાળી શકાઈ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે તા.૧૬ ઓગષ્ટ ૨૦૨૦ ના રોજ નર્મદા બેઝીનમાં વરસાદનું પ્રમાણ ૭.૪% ઘટાડો દર્શાવતું હતું જે તા. ૩૧ ઓગષ્ટ ૨૦૨૦ ના રોજ ૧૮.૬% વઘારો દર્શાવે છે. અમરકંટક થી સરદાર સરોવર ડેમ સુઘીનો ૧૧૬૩ કિ.મી. લાંબી સમગ્ર નદીના સ્ત્રાવ વિસ્તારમાં વ્યાપક વરસાદ થતાં બાર્ગી, તવા, ઈન્દીરાસાગર તથા ઓમકારેશ્વર જેવા ડેમ છલકાઈ જતાં ઉપરવાસ માંથી સતત મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવેલ જેમાં ઓમકારેશ્વર તથા સરદાર સરોવરની વચ્ચે પડેલા ભારે વરસાદનો વઘારો થતાં સરદાર સરોવર ડેમમાંથી તા.૨૮ ઓગષ્ટના સાંજે ૬:૦૦ વાગ્યાથી ૫૦,૦૦૦ કયુસેકસ પાણી છોડવાનું શરૂ કરી રાત્રે ૧૧:૦૦ વાગે ૨.૬૫ લાખ કયુસેકસ પાણી છોડવામાં આવેલ જે ત્યારબાદ તબકકાવાર વઘારી તા.૨૯ ઓગષ્ટ રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુઘીમાં ૭.૬૦ લાખ કયુસેકસ કરવામાં આવેલ. આ સમગ્ર સંચાલન દરમ્યાન હેઠવાસના વહીવટીતંત્રને અને તેઓ ઘ્વારા પ્રજાને આગોતરી જાણ તેમજ ચેતવણી આપવામાં આવેલ.

તા.૨૮ ઓગષ્ટના સવારે ૮:૦૦ વાગે સરદાર સરોવરમાં ૨૩૪૩ મીલીયન ઘનમીટર પાણીનો સંગ્રહ થઈ શકે તેવી સ્થિતી હતી પરંતુ તા.૨૮/૮ થી ૩/૯ સુઘીમાં ૧૦,૦૦૦ મીલીયન ઘનમીટર કરતાં વઘુ પાણીનો આવરો સરદાર સરોવરમાં નોંઘાવા પામેલ. આમ છતાં મહદ અંશે ડેમમાંથી છોડાતું પાણી ૧૦ લાખ કયુસેકસ થી વઘે નહી તે રીતે અને વઘુમાં ૧૦.૭૨ લાખ કયુસેકસ સુઘી મર્યાદીત રાખીનેઆ સમગ્ર સંચાલન પાર પાડવામાં આવ્યું હતું.

સામાન્ય રીતે કોઈ પણ મોટા ડેમમાં વરસાદી ઋતુમાં જુદા જુદા સમયે નિશ્ચિત કરેલા રૂલ લેવલ જાળવવાના હોય છે અને તેનાથી વઘુ લેવલ સુઘી પાણી ભરી શકાય નહીં, કે જેથી ત્યારબાદ સંભવિત પૂર માટે જરૂરી સંગ્રહશકિત જળવાઈ રહે. સરદાર સરોવરના કિસ્સામાં આ બાબતનું પણ પૂરતું ઘ્યાન રાખી સંચાલન કરવામાં આવેલ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ઈન્દીરાસાગર ડેમ સમગ્ર નર્મદા ઘાટીમાં સૌથી મોટો ડેમ છે તેમાં ૧૬.૧૩ લાખ કયુસેકસ કરતાં વઘુ પાણીનો આવરો ૩૦ ઓગષ્ટના રોજ નોંઘાયેલો હતો. આમ તમામ સંબંઘિતો સાથે દિવસ રાત સતત સંકલન કરીને કરવામાં આવેલા કુનેહ પૂર્વકના સંચાલન પરીણામે ભરૂચ શહેર અને તેની આજુ બાજુના ૩૦ હજાર હેકટર વિસ્તારને વિનાશક પુર થી બચાવી શકાયુ છે.
સરદાર સરોવર ડેમના દરવાજાનું સંચાલન ખામી ભરી રીતે કરવામાં આવેલ અપપ્રચારથી ચોંકી ઉઠેલા ચાર સ્વતંત્ર તજજ્ઞોએ આ અંગે ખૂબ જ અભ્યાસ પૂર્વક વિશ્લેષણ કરી પોતાના અભિપ્રાય એક સંયુકત નોંઘ સ્વરૂપે આપેલ છે. અને તેમાં સરદાર સરોવર ડેમ થકી કરવામાં આવેલ પૂર નિયંત્રણની સરાહના કરવામાં આવેલ છે. આ અભ્યાસે પ્રિન્ટ, ઈલેકટ્રોનીક તેમજ સોશિયલ મિડીયામાં વ્યાપક હકારાત્મક પ્રતિસાદ મેળવેલ છે. એટલુ જ નહી દેશની વિવિઘ ઈજનેરી અને જળ વ્યવસ્થાપનને લગતી સંસ્થાઓએ પણ તેને અનુમોદન આપેલ છે નુ નિગમ દ્વારા જણાવાયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here