નર્મદા જીલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૪ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૨ સહિત કુલ-૬ પોઝીટીવ કેસ નોંધાયા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૧ દરદી અને હોમ આઇસોલેસનમાં ૫ દરદીઓ સહિત કુલ-૬ દરદીઓ સારવાર હેઠળ

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ.આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૦૬ ઠ્ઠી જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૪ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૨ (બે) સહિત કુલ-૬ પોઝીટીવ કેસ નોંધાયા છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૧ દરદી અને હોમ આઇસોલેસનમાં ૫ (પાંચ) દરદીઓ સહિત કુલ-૬ દરદીઓ સારવાર હેઠળ છે. આજે RTPCR ટેસ્ટમાં ૫૪૯ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૩૧ સહિત કુલ-૮૮૦ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે. આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૨૯૦૫૯ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૭૩૬૭૪ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here