રાજપીપળા, (નર્મદા)આશિક પઠાણ :-
માસુમ બાળા મામાના ઘરે હતી ત્યારે એકલતાનો લાભ લઇ પૈસા ની લાલચ આપી વાડામાં લઈ જઇ શારીરિક અડપલા કરી બળાત્કાર ગુજારાયો
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે સાત વર્ષિય માસુમ બાળા ઉપર શારીરિક અડપલા કરી તેણી સાથે બળાત્કાર ગુજારનાર નરાધમ ને રાજપીપળા ની એડિશનલ સેશન્સ કોર્ટના જજ એન. એસ સિદ્દીકી ની અદાલતે સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે. ગોહિલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આજરોજ 20 વર્ષ ની સજા અને રૂપિયા 5,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
બનાવ ની વાત કરીએ તો આરોપી નિતેશ મફતભાઈ વસાવા ઉ વર્ષ.30 નો રહેવાસી બંગલાફળિયું ,ડેડીયાપાડા, જી . નર્મદા ના એ ફરિયાદીની સાત વર્ષિય માસુમ ભાણેજ ઉપર ગત તારીખ 11/ 1/ 2020 ના રોજ ફરિયાદીના ઘરે આવી ઘરે કોઈની પણ હાજરી ન હોય આ માસુમ બાળા ને પટાવી ફોસલાવી પૈસાની લાલચ આપી ફરિયાદીના ઘરના પાછળ આવેલ વાડામાં (ખેતર )માં તુવેર વાવેલ હતી ત્યાં લઈ જઈ માસુમ બાળા સાથે શારીરિક અડપલા કરી ભોગ બનનાર બાળા ઉપર બળાત્કાર ગુજારીયો હતો, આ બળાત્કારની જાણ ફરિયાદી ને ઘરે આવતા થતા તેઓએ ડેડીયાપાડા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આરોપી નિતેશ વસાવા સામે પોક્સો એક્ટ સહિત ઇપીકો કલમ 363 376 મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ આજરોજ રાજપીપળા ની અદાલતમાં ચાલી જતા વિદ્વાન સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહિલની ધારદાર દલીલોને અદાલતે માન્ય રાખી નરાધમ આરોપીને ૨૦ વર્ષની સજા અને રૂપિયા 5,000 નો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે.