ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-
દર્ભાવતિ નગરીમાં હાલમાં દિવાળીનો તહેવાર નજીક હોવાથી નગરના સ્ટેશન રોડ નવી સડકના મુખ્ય માર્ગો ઉપર દિવાળીને અનુલક્ષીને ઘરાકીનો માહોલ સર્જાયો છે .ત્યારે રોજ કમાઈને પોતાનું પેટીયાળું ભરતાં વેપારીવર્ગ માં એક તરફ ખુશીનો માહોલ હતો ત્યારે બીજી તરફ કપિરાજ નો આતંક જોવા મળ્યો જેમાં બે કપિરાજે ડભોઇ નગરના આ મુખ્ય માર્ગ ઉપર આતંક મચાવી પેટીયાળું ભરતા વેપારીઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે. હાલમાં ડભોઇ નગરમાં આવા આતંક ફેલાવતા કપિરાજ તેમજ રોડ રસ્તા ઉપર અડીંગો જમાવીને બેસી રહેતા રખડતા ઢોરો ના સામ્રાજ્યમાં વધારો જોવા મળ્યો છે. જેમાં ડભોઇ નગરમાં ખરીદી અર્થે નીકળેલા માણસોને અને વેપારીને હડફેટમાં લેવાતા હોય છે ત્યારે આવી વ્યક્તિઓ નો તહેવાર નો મૂળ ખોઈ બેસે છે પ.રંતુ નગરપાલિકા તંત્ર આવા તોફાની કપિરાજ ને અને અડીંગો જમાવીને બેઠેલા ઢોરોને ક્યારે પાંજરે ક્યારે પુરશે ?