છોટાઉદેપુર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓ માટે તા. ૨૧ ફેબ્રુઆરી સુધી ઈ-કેવાયસી ઝુંબેશ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ભારત સરકાર દ્વારા તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી રાષ્ટ્રવ્યાપી *eKYC* માટેની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત eKYC બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓએ આગામી તા. ૨૧ ફેબ્રુઆરી-૨૦૨૪ સુધીમાં ગ્રામ્ય કક્ષાએ નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા eKYC કરાવી લેવાનું રહેશે. ખેડૂતો ઈ-કેવાયસી માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક, તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ રૂબરૂ ઉપસ્થિત રહીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ખેડૂતો “eKYC* કરાવી શકાશે.
આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યુવાન “PM કિસાન” મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પીએમ કિસાનના લાભાર્થીનો આધાર ઓટીપીની મદદથી લોગ-ઈન કરી અન્ય ૧૦ લાભાર્થીઓના ફેસ ઓથેન્ટીકેશન દ્વારા eKYC કરી શકે છે. જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લીંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જાતે જ eKYC કરી શકે છે
પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા ૧૫માં હપ્તાથી eKYC ફરજીયાત કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના જે ખેડૂત લાભાર્થીઓને eKYC કરાવવાનું બાકી હોય, ૧૫મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂત મિત્રોએ ૧૫મો અને આગામી ૧૬મો હપ્તો મેળવવા માટે eKYC ફરજીયાત કરાવવાનું રહેશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here