શું તમે વાજબી ભાવની દુકાનેથી અનાજ નથી લેતા અને તેમ છતાં પણ તમારા નંબર પર અનાજ લીધાનો મેસેજ આવે છે તો તાત્કાલિક પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગનો સંપર્ક કરવા કરાયો અનુરોધ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

અનાજમાં થતી ગેરરિતી અટકાવવા પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ શરૂ કર્યું અભિયાન, ૯૪૦૯૧૪૨૪૦૪ નંબર પર સંપર્ક કરી શકાશે

રાજ્ય સરકારશ્રી દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩” રાજયમાં વર્ષ ૨૦૧૬થી અમલમાં છે. જે અંતર્ગત તમામ અંત્યોદય(એ.એ.વાય.) રેશનકાર્ડધારકો, બી.પી.એલ. અને એ.પી.એલ. રેશનકાર્ડધારકોને એન.એફ.એસ.એ. હેઠળ સમાવેશ કરવામાં આવેલ છે.જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજયની તમામ વાજબી ભાવની દુકાનોમાં અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના તા.૦૧/૦૩/૨૦૧૮ના પરિપત્રથી તા.૩૧/૦૩/૨૦૧૮ થી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિપરીત થતી આવશ્યક ચીજ વસ્તુઓનું વિતરણ જે તે સંબંધિત રેશનકાર્ડ ધારકના આધારના ડેટા સાથે મેચ કરીને એટલે કે આધારના ડેટાથી ઓળખ પ્રસ્થાપિત કરીને કરવાનું રહે છે.જે અંતર્ગત તમામ પ્રકારના એન.એફ.એસ.એ. રેશનકાર્ડધારકોના બાયોમેટ્રિક આધાર સાથે મોબાઇલ નંબર લીંક કરવામાં આવેલ હોય, તેવા રેશનકાર્ડ ધારકને દર માસે અનાજ માટેનો મેસેજ આવતા હશે.

પંચમહાલ જિલ્લામાં જો તમો સરકાર માન્ય વાજબી ભાવની દુકાન પર અનાજ લેવા જતા ન હોય કે કોઇ કારણસર અનાજ મેળવતાં ન હોય કે અગાઉ પણ સરકાર માન્ય વાજબી ભાવની દુકાન ખાતેથી અનાજ લીધેલ ન હોય તેમ છતા તમારા મોબાઇલ પર તમારા નામે અનાજ ઉપડેલ છે તેવો મેસેજ આવેલ હોય અથવા હવે પછી મેસેજ આવે તો શ્રી એચ.ટી.મકવાણા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પંચમહાલ ગોધરાનો સંપર્ક સાધવા અથવા તેમના મોબાઇલ નંબર ૯૪૦૯૧૪૨૪૦૪ પર વોટસઅપ પર ખાનગી રાહે મેસેજ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ સાથે વોટસઅપ પર મેસેજ ન કરો તો રૂબરૂ કચેરીમાં આવીને માહિતી આપી શકાશે.માહિતી આપનારની તમામ વિગતો ખાનગી રાખવામાં આવશે.તેમ પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એચ.ટી.મકવાણાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here