ચલામલી ખાતે ત્રિમંદીર અને બ્રહ્માકુમારીઝમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના ચલામલી ગામે ત્રિમંદીર અને બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ગુરુપૂર્ણિમાના આગલે દિવસથી જ ત્રિમંદીર અને બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રના સેવાર્થીઓ ઘ્વારા તૈયારીઓ આરંભીને શણગારવામાં આવ્યું હતું.ગુરુપૂર્ણિમાની વહેલી સવારથી મંદિરોમાં પૂજન,અર્ચના કરવામાં આવી હતી.ચલામલીના બ્રહ્માકુમારીઝના બ્રાહ્મણ પરિવારોએ શિવબાબાની પૂજા,અર્ચના કરી હતી.બ્રહ્માકુમારીઝના સંચાલિકા બી.કે.સેજલબેને જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે પૃથ્વી પરનો દરેક મનુષ્ય પોતાના જીવનમાં અજવાળું પાથરનાર વિશેષ વ્યક્તિની ઉપાસના કરે છે.આજે પણ પ્રત્યેક વ્યક્તિની નજર સાચા ગુરુને શોધી રહી છે.પૃથ્વી પર ગુરુના સાચા માર્ગદર્શન વિના આત્માનું પરમાત્મા સાથે મિલન શક્ય નથી.મનુષ્ય મન અને બુદ્ધિને સયંમમાં રાખી શકતા નથી.તેને સયંમમાં રાખવાનો એક માત્ર ઉપાય સાચા ગુરુ જ આપી શકે છે.ચલામલી ત્રિમંદીર ખાતે ભક્તો ઘ્વારા શ્રધ્ધાભેર પૂજા,અર્ચના,આરતી,ધૂન રાખવામાં આવી હતી.જેનો તમામ ભક્તોએ લાભ મેળવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here