મોરબી, આરીફ દિવાન :-
હાલમાં 2022 વિધાનસભા ચૂંટણી અંતર્ગત મોટાભાગે રાજકીય નેતાઓના જુદા જુદા નિવેદનો નો વરસાદ થઈ રહ્યો છે ત્યારે તાજેતરમાં જ દેશના વડાપ્રધાને એક વર્ષથી વધુ સમયથી ખેડૂત પુત્ર દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં કૃષિ કાયદા રદ કરવાની દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જાહેરાત કરતાની સાથે જ કોંગ્રેસી નેતાઓએ પણ જશ ખાટવા માટે જુદા જુદા નિવેદનો આપ્યા છે ત્યારે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પાટીદાર અનામત આંદોલનના ૭૮ જેટલા કેસ રદ કરવાની જાહેરાત કરી છે ત્યારે ચૂંટણી સમયે જ એકાએક નેતાઓ પ્રજા ચિંતક બન્યા હોય તેઓ મોટાભાગે લાગી રહ્યું છે હાલ ગુજરાતમાં મંદી મોંઘવારી ના કારણે સામાન્ય મતદાર પ્રજા પરેશાની નો સામનો કરી રહી છે તે અંગે કોઈ નેતા મોંઘવારી નાબૂદ કરવાનું કેમ? બોલતાનથી? એવો સવાલ દરેક મતદાર પ્રજામાં આલ ચર્ચાના ચકડોળે ચડયો છે ત્યારે ગુજરાતમાં કમોસમી વરસાદ અંતર્ગત ખેડૂતોને નુકસાન આ અંગે સર્વે કરી તેને નુકસાની ભરપાઈ કરવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે મંદી મોંઘવારી અને કમોસમી વરસાદથી ઉદ્યોગપતિ વેપારી મજુર વર્ગને ખેડૂતો ગંભીર ચિંતક બન્યા છે જેથી પ્રજા ચિંતક નેતાએ આજની આ કારમી મોંઘવારી હળવી કરીને ખરા પ્રજા ચિંતક તરીકેની ઓળખ પૂરી પાડવી જોઈએ માત્ર ચૂંટણી વખતે છે હથેળીમાં ચાંદ દેખાડી દેતા નેતાઓ ચૂંટણી બાદ મોટાભાગે દર્શન દુર્લભ હોય છે જે ભૂતકાળમાં કોરોના મહામારી 2020 ની પ્રથમ લહેર તેમજ વખતે 2021 બીજી લહેર માં અને એક માનવ જિંદગી મોતને ભેટી હતી સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ સહિત ની સમસ્યા મતદાર પ્રજાને ચિંતક ગંભીર સ્વરૂપ ધારણ કરી હતી એવા સમયે સ્થાનિક ધારાસભ્યો સંસદસભ્યો ના દર્શન દુર્લભ રહ્યા હતા જે હાલ ચૂંટણી 2022 વિધાનસભા નજીક હોય તેવા સમયે દેશના વડાપ્રધાન ખેડૂત ચિંતક અને ગુજરાત પ્રમુખ પાટીદાર અનામત આંદોલન ના 78 વ્યક્તિઓ પર દયા દ્રષ્ટિ બતાવી રહ્યા હોય એ પણ ચૂંટણી સમયે…..
યે બાત કુછ હજમ નહી હોતી..!
એવું જ કાંઈક આજના ડિજિટલ યુગમાં ગુજરાતની પ્રજા સહિત પંજાબ હરિયાણા ખેડૂતો મહેસૂસ કરી રહ્યા હોય તો નવાઈ નહીં