આઈ શ્રી મોગલ ધામ મંદિર ભીમરાણા ખાતે આઈ શ્રી મોગલ પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

દેવભૂમિ દ્વારકામાં આવેલ આઈ શ્રી મોગલ ધામ મંદિર ભીમરાણા ખાતે આસો સુદ તેરસ તારીખ ૮/૧૦/૨૦૨૨ ના શનિવારના રોજ આઈ શ્રી મોગલ માં પ્રાગટ્ય દિવસ સૌ મોગલ છોરું સાથે રહીને ધામધૂમથી ઉજવવામાં આવ્યો આસો સુદ તેરસના દિવસે મા મોગલ ના મંદિરમાં નવચંડી યજ્ઞ પણ કરવામાં આવે છે તેમ જ બાવન ગજની ધજા પણ ચડાવવામાં આવી છે ત્યારે હજારોની સંખ્યામાં મોગલ મંદિર આઈ માં મોગલ ના દર્શન કરે છે આઈ શ્રી મોગલ માં ધામ મંદિર બારે મહિના અને ક્ષેત્ર પણ ચાલે છે તેમજ યાત્રાળુઓ માટે રહેવાની પણ સગવડ છે આસો સુદ તેરસના દિવસે તારીખ ૮/૧૦૨૨ ને શનિવારના રોજ મોગલ મા ના ભાવ નો થાળ અને અન્ય ક્ષેત્રો પ્રસાદીમાં અશોક દાન મૂળુભા ગઢવી રહેવાથી રંગપુર તાલુકો કલ્યાણપુર તેમના તરફથી રાખવામાં આવ્યું છે અશોક દાન ગઢવી હાલ રાજકોટ સૌરાષ્ટ્ર ક્રાંતિ સાધ્ય દૈનિક સમાચારના તંત્રી અને માલિક પણ છે તેઓ દર તેરસના દર્શને માતાજી આવે છે અને આ 23મા મહાપ્રસાદી થાળની એમની સેવા આપી છે ત્યારે ઓખામંડળના ભીમરાણા મોગલ ધામ ટ્રસ્ટી ધન્યવાદ આપ્યા છે અને આજે આઈ શ્રી મોગલ માં પ્રાગટ્ય દિવસ ના રાત્રે ભવ્ય લોક ડાયરો રાખવામાં આવ્યું છે આ ડાયરામાં જાણીતા કલાકાર એવા રાજભા ગઢવી ગીરના તેમજ નામી કલાકાર સાગરદાન ગઢવી હકાભા ગઢવી હાસ્ય કલાકાર તેમજ અમારા પ્રવીણ દાન ભાઈ ગઢવી સાહેબ તેમ જ શિવુભા માણેક ભજનીક અને ભરત દાન ગઢવી આ ડાયરાની રમઝટ બોલાવશે અને આ ડાયરાનું સંકલન નવલદાન ગઢવી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here