સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદરપુરના કસ્બા ફળિયા તેમજ કોટ ફળિયામા સુમનદીપ વિદ્યાપીઠના ડોક્ટરની ટીમ દ્વારા કન્જકટીવાઇટિસ વાયરસ વિશે માહિતી ડો સુભાંસુ જૈન દ્વારા આપવામાં આવી.
આજરોજ સંખેડા તાલુકાના બાદરપુર ખાતે સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા સંચાલિત શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી હોસ્પિટલ દ્વારા કન્જકટીવાઇટિસ વાયરસ વિશે લખતી માહિતી ગામલોકોને આપવામાં આવી.
કન્જકટીવાઇટિસ વાયરસ જે આંખો ને લગતો રોગ છે તેના વિશે બહાદરપુર ગામમાં કસબા ફળિયુ તેમજ કોટ ફળિયામાં વલ્લભાચાર્ય મહાપ્રભુજી હોસ્પિટલના ડોક્ટર દ્વારા આંખમાં આવતા લક્ષણો તેમજ ચિહ્નો વિશે માહિતી આપવામાં આવી.
કન્જકટીવાઇટિસ વાયરસ એ આંખો ને લગતો રોગ છે જેની સારવાર તેમજ સાવચેતી કેવી રીતે રાખવી તેના વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.