શાળાએથી ઘરે પરત ફરતી વિદ્યાર્થીનીની છેડતી કરતા ૩ યુવાનો સામે છેડતી અને પોકસો અન્વયે શહેરા પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

અભ્યાસર્થે ગયેલી અને ઘરે પરત ફરતી વિદ્યાર્થીનીની છેડતી કરતા ૩ યુવાનો સામે છેડતી અને પોકસો અન્વયે શહેરા પોલીસ મથકે સગીરાના પિતાની ફરિયાદના આધારે ગુન્હો નોંધવામાં આવ્યો

ત્રણેય યુવાનો ને ગ્રામજનોએ છેડતીનો રોષ રાખી નિર્વસ્ત્ર કરી ઢોર માર મારતા સગીરાના દાદા,પિતા,કાકા અને ત્રણ બીજા ઈસમો સામે પણ ગુન્હો નોંધવામાં આવ્યો

પોલીસ પ્રાપ્ય વિગતો અનુસાર શહેરા તાલુકામાં આવેલા એક ગામડાની બે વિદ્યાર્થીનીઓ ધોરણ ૯ અને ધોરણ ૧૧ મા અભ્યાસ કરે છે,કોરોના મહામારીના કારણે થોડા સમય પહેલા જ રાજ્ય સરકારે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે આથી બંને વિદ્યાર્થીનીઓ અભ્યાસ અર્થે શાળાએ ગઈ હતી અને બપોરના ૧૨ વાગ્યે શાળા છૂટતાં પોતાના ઘરે આવતી હતી તે સમયે જંગલ વિસ્તાર પાસે આવેલા માર્ગે પસાર થતા વખતે શહેરા તાલુકાનાં વિજાપુર ગામનો અનિલ ઉર્ફે ઈનો રતિલાલ લુહાર, મીઠાલી ગામના નિતેશ વિનોદભાઈ રાવત અને જીતેન્દ્ર દ્વારા ધોરણ ૯માં અભ્યાસ કરતી ૧૪ વર્ષીય સગીરા પાસે મોબાઈલ નંબરની માગણી કરી છેડતી કરવા લાગેલા આથી સાથી સહધ્યાયીએ તેઓને આવું ન કરવાનું કહેતા તેને પણ પતાવી દેવાની અને સગીરાને ભગાડી જવાની ધમકી આપતા તેઓને ભાગીને પોતાના ઘરે આવી ગયા હતા ૧૪ વર્ષીય સગીરાએ બનેલી ઘટના થી તેણી ની માતાને વાકેફ કરતા તેણી ની માતાએ પિતાને જણાવતા ક્રોધાવેશમાં આવી વિજાપુર ગામે રહેતા અનિલ ઉર્ફે ઈનો રતિલાલ લુહારને શોધવા જતા રસ્તામાં જ તેનો ભેટો થતા તેને છોકરીની છેડતી કેમ કરી કહી મારવા લાગેલા અને ત્યારબાદ તેના અન્ય બે મીઠાલી ગામના મિત્રો કે જે આ છેડતીમાં સામેલ હતા તેઓને ફોન કરી પસનાલ ચોકડી પર બોલાવાનું કહેતા બંને મિત્રો ત્યાં આવી પહોંચ્યા હતા ત્યારે એક ઈસમ દ્વારા તેની સફેદ ગાડીમાં અનિલ ઉર્ફે ઈનો ને પણ ત્યાં લઈ જઈ ત્રણેય ને ઢોરમાર મારવામાં આવ્યા હતા અને ત્યારબાદ પણ તેઓની ભડાશ ઓછી ના થતા ડોકવા ગામની કોઈ અજાણી જગ્યાએ લઈ જઈ ત્રણેય યુવાનો ને નિર્વસ્ત્ર કરી લાકડી,ડંડા,બેલ્ટ જેવા મારક હથિયારો અને ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી આ ઘટનાની જાણ ખાંડીયા સરપંચને થતા તેઓએ ત્રણેય યુવાનો ને મારમાંથી બચાવી શહેરા પોલીસ ને જાણ કરી હતી પોલીસે ગંભીરતા જાણી તાત્કાલિક ત્યાં પહોંચી ૧૦૮ દ્વારા ઇજાગ્રસ્ત ત્રણેય યુવાનો ને શહેરા સરકારી દવાખાને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.જો કે ૧૪ વર્ષીય સગીરાની છેડતી કરનાર ત્રણ યુવાનોને નિર્વસ્ત્ર કરી ઢોર માર મારવાની ઘટનાને લઈ સમગ્ર શહેરા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.સગીરાના પિતાની ફરિયાદ ના આધારે ત્રણેય યુવાનો સામે છેડતી અને પોકસો અધિનિયમ ૨૦૧૨ની કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે તો સામે પક્ષે પણ ત્રણ યુવાનો પૈકી અનિલ ઉર્ફે ઈનો એ પોતે નિર્દોષ હોવાનું જણાવી સગીરાના દાદા,પિતા,કાકા અને બીજા ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.હાલના તબક્કે યુવાનો પોલીસ નિગરાણી હેઠળ સારવાર હેઠળ છે અને સારવાર પૂર્ણ થયા બાદ કોરોના માર્ગદર્શિકા અનુસાર તેઓની ધરપકડ કરવામાં આવશે તો સગીરાના દાદા,પિતા,કાકા અને ત્રણ બીજા ઈસમોની ધરપકડ માટેનાં ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here