નર્મદા : બળાત્કારના આરોપીને તાત્કાલીક અસરથી નર્મદા જીલ્લા પ્રમુખ ધનશયામ પટેલે ઉપપ્રમુખ પદેથી હટાવ્યા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જીલ્લાના તિલકવાડા તાલુકાના જેતપુર ગામની યુવતીને બ્લેક મેલિંગ કરી તેની સાથે તેણીની મરજી વિરુદ્ધ શારીરિક સંભોગ કરી યુવતી સાથે બળાત્કાર કરનારા ભાજપાના ઉપપ્રમુખ હિરેન રાવજીભાઇ પટેલની સામે તિલકવાડા પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ દાખલ થતા તડવી સમાજ સહિત અન્ય સમાજમા ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી હતી ત્યારે શુ ભાજપા આવા તત્વોને હોદ્દેદાર તરીકે ચાલુ રાખસેની અટકળો વચ્ચે પાર્ટીની બદનામી ન થાય એ હેતુસર તાત્કાલીક અસરથી નર્મદા જીલ્લા પ્રમુખ ધનશયામ પટેલે હીરેન પટેલને ઉપપ્રમુખ પદેથી હટાવવાનો નિર્ણય લીધો હોવાનું નર્મદા જીલ્લા મિડીયા સેલ પ્રમુખ રાજેશ ચૌહાણે એક પ્રેસ રિલીઝ દ્વારા જણાવ્યું હતું.

નર્મદા જીલ્લા પ્રમુખ ધનશયામ પટેલે જારી કરેલ પ્રેસ રિલીઝમા એફ. આઇ.આર. દાખલ થયેલ હોય તટસ્થ અને નિષપક્ષ તપાસ થાય તે હેતુસર ઉપપ્રમુખ પદેથી હિરેન રાવજીભાઇ પટેલને દુર કરવામાં આવે છે, તેવું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here