મોરબી,
આરીફ દીવાન
છેલ્લા ઘણા મહિના થી કોરોના ની મહામારી એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, અત્યાર સુધીમાં અસંખ્ય લોકોનો કોરોના નામના દાનવે ભોગ લીધો છે ત્યારે કોરોના સામે ના આ યુદ્ધ માં હજારો ની સંખ્યામાં કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ જેવા વિવિધ સરકારી કર્મચારીઓ એ રાષ્ટ્ર સેવા કરતા શહીદી વહોરી છે.
મોરબી જિલ્લાના પ્રા.આ.કે. લાલપર માં મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા કોરોના વોરિયર્સ એવા શ્રી જગદીશભાઈ કૈલા રાષ્ટ્રસેવા કરતા કરતા કોરોના ના સંક્રમણ માં આવેલ હતા તેમજ કોરોના સામે ના આ યુદ્ધમાં તારીખ ૧૯/૯/૨૦ ના રોજ શહીદી વહોરી હતી.
તેમની શ્રદ્ધાંજલિ ના ભાગરૂપે તેમની યાદમાં પ્રા.આ.કે. લાલપરના હાલ ના તેમજ પૂર્વ સહ કર્મચારીઓ દ્વારા આજરોજ આસરે ૨૦૦ જેટલી ઝોપડપટ્ટી વિસ્તાર માં ફૂડ પેકેટ્સ(પુરી,ભાજી,લાડવા,ગાંઠિયા) નું વિતરણ કરવા માં આવ્યું હતું અને તેમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા…