રાજપીપલામાં તા.11 મી ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે “નોંધારાનો આધાર” પ્રોજેક્ટનો લોગો, વેબસાઇટ અને વેબ પોર્ટલનું થનારૂં લોન્ચીંગ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

જીતનગર પોલીસ હેડક્વાટર ખાતે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાશે સ્નેહમિલન કાર્યક્રમ

લોકભાગીદારીથી PPP ધોરણે અંદાજે રૂા.૧.૧૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ CNG આધારિત સ્મશાનગૃહ, પ્રોજેક્ટ કાર્યાલય ઉપરાંત સખી મંડળ સંચાલિત જિલ્લા સેવા સદનના કેન્ટીનનું થનારૂં લોકાર્પણ

મુખ્યમંત્રીશ્રીના હસ્તે “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” ના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો સહિત સાધન સહાય કિટ્સનું થનારૂં વિતરણ

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ આગામી તા.૧૧ મી નવેમ્બર,૨૦૨૧ ને ગુરૂવારના રોજ તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન રાજપીપલામાં બપોરે ૩:૪૦ કલાકે જીતનગર પોલીસ હેડક્વાટર ખાતે જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા અમલી “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત યોજાનારા કાર્યક્રમમાં તેમજ બપોરે ૪:૦૦ કલાકે યોજાનારા સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” ના કાર્યક્રમ અંતર્ગત આ પ્રોજેક્ટનો લોગો, વેબસાઇટ અને ડેટા એન્ટ્રી માટેના વેબ પોર્ટલનું મુખ્યમંત્રીશ્રી પટેલ લોન્ચીંગ કરશે. સમગ્ર ભારત/રાજ્યનો કોઇપણ જિલ્લો ઉપયોગ કરી શકે તે રીતે જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા આ વેબસાઇટ તથા વેબ પોર્ટલ બનાવવામાં આવેલ છે. તદ્ઉપરાંત અંદાજે રૂા.૧.૧૫ કરોડના ખર્ચે સંપૂર્ણ લોકભાગીદારીથી PPP ધોરણે તૈયાર થયેલ CNG આધારિત રાજપીપલા સ્મશાનગૃહ, નોંધારાનો આધાર પ્રોજેક્ટ કાર્યાલય અને સખી મંડળ સંચાલિત જિલ્લા સેવા સદન ખાતેના કેન્ટીનના લોકાર્પણની તક્તીનું અનાવરણ કરશે.

રાજપીપલામાં “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાનારા ઉક્ત કાર્યક્રમ દરમિયાન કાર્યક્રમ સ્થળે પ્રોજેક્ટના બુથની પણ મુખ્યમંત્રીશ્રી પટેલ મુલાકાત લેશે. અને આ બુથમાં સદરહું પ્રોજેક્ટ અંતર્ગત ઉપયોગમાં લેવાતા સર્વે ફોર્મ, ચેકલીસ્ટ, વિવિધ પ્રકારના ૧૬ રજીસ્ટરો, વિવિધ રિપોર્ટ, SOP / માર્ગદર્શિકા પુસ્તિકા, ભોજન ડિલીવરી માટેનો ભોજન રથ સહિત સમગ્રતયા પ્રોજેક્ટ અંતર્ગત થઇ રહેલી કામગીરીની કાર્યપધ્ધતિનું પણ તેઓશ્રી નિરીક્ષણ કરશે.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારા ઉક્ત કાર્યક્રમમાં “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” હેઠળના ૩ થી ૬ વર્ષના નોંધારા બાળકને આંગણવાડીમાં અને ૬ થી વધુ વર્ષના નોંધારા બાળકને પ્રાથમિક શાળામાં પ્રવેશ, લાભાર્થીઓને COVID વેક્સીનનો બીજો ડોઝ, ૪૩ જેટલી આવશ્યક ચીજવસ્તુઓ સાથેની કિટ્સ, “નોંધારાનો આધાર” ના લોગોવાળા વુલન સ્વેટર / ટોપીનું, પોષણ આહાર કિટ્સ, આવક-જાતિનો દાખલો, રેશનકાર્ડ, જનધન ખાતા અન્વયે બેન્ક પાસબુક તથા Rupay કાર્ડ, વિધવા પેન્શન મંજૂરી હુકમ અને વૃધ્ધ સહાય મંજૂરી હુકમ, દિવ્યાંગ લાભાર્થીને બસપાસ તથા રોજગારી કિટ મંજૂરી હુકમ, આયુષ્યમાન કાર્ડ, સ્વરોજગારલક્ષી કિટ્સ(સિલાઇ મશીન) તથા આવાસ યોજનાના બીજા હપ્તાના મંજૂરી હુકમ / ચેક વગેરે જેવા વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ NGO વિભાગ, પદાધિકારીશ્રીઓ વિભાગ, અમલીકરણ અધિકારીશ્રીઓ વિભાગ, દાતાશ્રીઓના વિભાગ તેમજ લાભાર્થીઓના વિભાગની મુલાકાત લઇ નોંધારાનો આધાર પ્રોજેક્ટ હેઠળ નોંધપાત્ર કામગીરી કરનાર NGO ના સ્વયંસેવકો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, દાતાઓ અને જિલ્લા વહિવટીતંત્રના અધિકારી / કર્મચારીઓને પ્રતિકાત્મક રીતે(ટોકનરૂપે) પ્રશસ્તિપત્ર એનાયત કરી તેમને પ્રોત્સાહિત કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here