બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-
બોડેલી વિસ્તારના કેટલાક ખેડૂતોએ તુવેરનો જથ્થો એક વેપારીને વધુ રૂપિયાની આશાએ આપ્યો હતો પણ વેપારીએ આત્મહત્યા કરી લેતા ખેડૂતો ના એક કરોડ કરતાં વધુ રૂપિયા સલવાયા હોવાનું ખેડૂત આલમ માંથી જાણવા મળ્યું છે.
સરકારે ટેકા ના ભાવ થી ખેડૂતો નો પક લેવા માટે ની વ્યવસ્થા ઉભી કરી છે. પણ વહેલા રોકડ રૂપિયા સાથે વધુ ભાવ મળતા હોવાથી ખેડૂતો બજારમાં તુવેર વેચી રહ્યા હતા.
ખાસ કરીને બોડેલીના માંકની અને સંખેડાના માંજરોલ ગામ ના ખેડૂતો એ તુવેરનું વાવેતર વધુ પ્રમાણમાં કર્યું હોય તેવા ખેડૂતો એ બજાર માં 6300રૂપિયા ના ભાવ થી તુવેર વેચવાનું મુનાસીબ માન્યું હતું. જે ટેકા ના ભાવ કરતાં 300 જેટલા વધુ મળતા હોવાથી વેપારી ને આપી રહ્યા હતા. કેટલાક ખેડૂતો નુ પેમેન્ટ પણ થયું હતું. આવા સમયે વેપારી એ કોક કારણોસર આત્મ હત્યા કરી લેતા ખેડૂતોના રૂપિયા સલવાયા છે.