નર્મદા જિલ્લામાં તા. ૩૦ મી ના રોજ RTPCR ટેસ્ટમાં વધુ ૩૨ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૩ સહિત કુલ-૪૫ પોઝિટિવ કેસ નોંધાયા કુલ પોઝિટિવ દર્દીનો આંક 3170 થયો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ગામડાઓમા વધતા જતા પોઝિટિવ દર્દીઓથી તંત્રની ચિંતામા વધારો

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૭ દરદીઓને આજે રજા અપાઇ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૩૯ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૭૪, હોમ આઇસોલેશનમા ૯૩ દરદીઓ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૫૦ દરદીઓ સહિત કુલ-૨૫૬ દરદીઓ સારવાર હેઠળ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૪૪,૩૫૨ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૧૦૦ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

નર્મદા જીલ્લાના ગામડાંઓમા કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યા દિન પ્રતિ દિન વધી રહી છે જિલ્લા મા ઉંડાણ મા વસતા આદિવાસીઓ પણ કોરોના ની ઝપેટમાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે કોરોના ને કઇ રીતે કાબુ મા લેવો આદિવાસી વિસ્તારોમાં લોકો ને વેકસીન લેવા માટે કઇ રીતે સમજાવવા એ માટે સરકારી તંત્ર સાથે રાજકીય પક્ષો પણ કામે લાગી લોકો ને સમજાવી રહ્યા છે.

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૩૦ મી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ સાંજે ૭:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૩૨ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૩ સહિત કુલ-૪૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના સાથે પોઝિટિવ દર્દીનો આંક વધીને 3170 ઉપર પહોંચ્યો છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૭ દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા ૯૩ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૩૯ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૭૪ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૫૦ દરદીઓ સહિત કુલ-૨૫૬ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૫૩૬ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦૬૮ સહિત કુલ-૧૬૦૪ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૩૦ મી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૪૪,૩૫૨ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના-૩૫ દરદીઓ, તાવના-૩૩ દરદીઓ, ઝાડાના ૩૨ દરદીઓ સહિત કુલ-૧૦૦ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૩૦૫૭ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૪૭૭૭૬ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here