નર્મદા જીલ્લાના ડેડીયાપાડામાં મણીપુરની ઘટનાના વિરોધમા આદિવાસી મહિલાઓની રેલી

ડેડીયાપડા, (નર્મદા) આશિક પઠાણ :-

મણિપુરમા સ્ત્રિઓ પર કરવામાં આવેલ જઘન્ય અપરાઘ ના વિરોધ મા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું

મહિલાઓ સાથે જઘન્ય કૃત્ય કરનાર આરોપીઓ ને સખ્ત સજા ની માંગ

મણિપુર માં આદીવાસી કુકી સમાજની મહીલાઓ સાથે જઘન્ય કૃત્ય કરનાર નરાધમો સામે આદીવાસીઓ સહિત તમામ વર્ગ જાતિ સંપ્રદાય ના લોકો મા ભારે રોષ ફેલાયેલ જોવા મળી રહ્યો છે ત્યારે નર્મદા જીલ્લા ના ડેડીયાપાડા જેવા આદિવાસી વિસ્તારોમાં વસવાટ કરતી મહીલાઓ એ પણ આજરોજ ડેડિયાપાડા ખાતે મૌન રેલી કાઢી પ્રાંત અધિકારી ની કચેરી એ પહોચી રાજયપાલ ને સંબોધી લખેલ આવેદનપત્ર પ્રાંત અધિકારી ને મહીલા કો ઓપરેટિવ કો ઓર્ડીનેટર જેરમાબેન વસાવા, એડવોકેટ પ્રિયંકાબેન વસાવા, વસંતાબેન વસાવા સહિત હેલ્થ વર્કરો, આંગણવાડી કાર્યકર મહીલાઓ એ આપ્યુ હતુ.

મહીલાઓ એ આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર દેશના ઇશાન પુર્વોત્તર રાજ્ય મણિપુર મા નારી જાતિ પર અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યો છે જે માનવજાત ને શર્મશાર કરનારો છે. નારી જે એક શક્તિ છે. નારી નુ અપમાન એ માનવસમાજ નું અપમાન છે. આ અપરાધ મા જે કોઇ પણ અપરાધી હોય તેને બંધારણીય જોગવાઈઓ મુજબ સખત માં સખત સજા કરવામા આવે, એવી ગુજરાત ની આદિવાસી પટ્ટી મા નર્મદા જિલ્લા ના દેદિયાપાદા તાલુકા ના આગેવાનો અને મહિલા યુવાઓની માગણી છે તેમ જણાવ્યુ હતું.

તેમજ મધ્યપ્રદેશ રાજ્યમાં પણ આદિવાર્સી સમાજ ના યુવાન પર મુત્રકાંડ કરવામા આવ્યો તે પણ ખુબ જ નિંદનીય ઘટના બની છે. આવી જાતીય ભેદભાવ ની ઘટનાઓના અપરાધી ઓને પણ સખત સજા થાય એવી અમારી સહુ આદિવાસી સમાજ ના આગેવાનો વડીલો યુવાનો એ અરજ ગુજારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here