ડભોઇ ખાતે ત્રિદિવસીય જૈનાચાર્ય પરમ પૂજ્ય શ્રીમદ્ વિજય શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ શ્રી નો પરિવર્તન પ્રવચન શ્રેણી વ્યાખ્યાન કાર્યક્રમ યોજાશે

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

આવેલા દુઃખને એકલાએ ભોગવી લેવાનું પરંતુ પ્રાપ્ત થયેલા સુખને બધાને વહેંચી દેવાનું એવું હર હંમેશ શીખ આપતા ભારત સરકાર તરફથી પદ્મભૂષણ ચંદ્રકથી સન્માનિત પામનાર રાષ્ટ્રીય સંત તરીકેનું બિરુદ પામનાર જૈનાચાર્ય પરમ પૂજ્ય શ્રીમદ વિજય શ્રી રત્ન સુંદર સૂરીશ્વરજી મહારાજશ્રી તારીખ 20 -4 -23 ના ગુરુવારે ત્રિદિવસીય દિવસે ડભોઇ ખાતે પધારનાર છે .જેમાં તારીખ 20 મીના રોજ સવારે 06:30 કલાકે પરમ ભગવદીય ગીતાબેન પિયુષભાઈ હીરાલાલ પારેખ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા વાળા વિજયા પાર્ક સોસાયટી કુબેરેશ્વર મંદિર પાસે ગૃહ પૂજ્યશ્રીની પધરામણી , નવકારસી નો કાર્યકમ ત્યારબાદ ટાવર ખાતેથી સામૈયું જૈન વાગા માં જશે ત્યાં જીવન એકંદનવન, પ્રવચન વ્યાખ્યાન, તારીખ 21 ના રોજ હું જ શું કામ, તારીખ 22 મીના રોજ રામ વોહિ આરામ ના સત્સંગ પર વ્યાખ્યાન જૈન વાગા ડભોઇ ખાતે સવારના 9:00 કલાકે યોજાશે તો સર્વે સતસંગ પ્રેમીઓએ વ્યાખ્યાનમાં ઉપસ્થિત રહેવા માટે આયોજકો દ્વારા ભાવભીનું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here