છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ દ્વારા બોડેલી બંધનું એલાન

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસીઓ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આજે સવારે બોડેલી માં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા જે મણિપુરમાં આદિવાસીઓ પર થયેલા અત્યાચાર કરવામાં આવી રહ્યો છે જેને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો સમગ્ર ગુજરાત સહિત છોટાઉદેપુર જિલ્લામાં રહેતા આદિવાસીઓ દ્વારા બોડેલીમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું ત્યારે આજે બોડેલી તેમજ ઢોકલીયા અલીપુરા સમગ્ર વિસ્તાર બંધ પાડવામાં આવ્યું હતું બોડેલી ઢોકલીયા અલીપુરા વિસ્તારના વેપારીઓ પોત પોતાની દુકાનો બંધ રાખી અને સમર્થનમાં ઉતરી ગયા હતા ત્યારે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સીપીઆઈ એસ બી વસાવા તેમજ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એ બી પરમાર અને બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસ એન બારીયા સાથે પોલીસ સ્ટાફ તેમજ ટીઆરબી જવાનો સાથે રહીને અલીપુરા ચોકડી ઉપર તેમજ બસ સ્ટેશન પાસે પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો હતો મણીપુરમાં આદિવાસી પર થયેલા અત્યાચાર જોઈને સમગ્ર ગુજરાત તેમજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં રહેતા આદિવાસીઓ પર આક્રોશ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here