દોલતપુરા ગામે પુરઝડપે મોટરસાયકલ હંકારતા યુવાનનું નીલગીરી સાથે અથડાતા સારવાર દરમિયાન મોત

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના દોલતપૂરા ગામના ગત તા ૦૬/૦૪ નાં રોજ બપોરના ત્રણ કલાકે અલીન્દ્રા ગામ નજીક સિંગલ પટ્ટી કાચા રોડ ઉપર પોતાની મોટરસાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી જતા રોડ ની સાઈડમાં આવેલી નીલગીરી સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમા મોટરસાયકલ ચાલક સુનીલસિંહ કિશનભાઇ રાઠોડ ને માથામાં, પગો માં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેઓનુ સારવાર દરમ્યાન મોત નિપજતાં કાલોલ પોલીસ મથકે નાગરભાઈ રાઠોડ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ જે ડી તરાલે હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here