કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકરનો તા 3 જીનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકર તા.૦૩ જી સપ્ટેમ્બર, ૨૦૨૨ ને શનિવારના રોજ સવારે ૦૮:૧૫ કલાકે રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચશે. ત્યારબાદ તેઓ સવારે ૦૯:૦૦ કલાકે નાંદોદ તાલુકાના લાછરસ ગામે “અમૃત સરોવર પ્રોજેક્ટ” ની મુલાકાત લેશે. ત્યારબાદ સવારે ૦૯:૩૦ કલાકે એકતાનગર (કેવડીયા) સર્કિટ હાઉસ ખાતે જવા રવાના થશે. કેન્દ્રીય મંત્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકર સવારે ૧૧:૦૦ કલાકે એકતાનગર (કેવડીયા) ખાતે આયોજીત ખાતમુર્હૂત કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ બપોરે ૧૨:૧૫ કલાકે એકતાનગર સર્કિટ હાઉસ જવા રવાના થશે અને બપોરે ૦૧:૩૦ કલાકે ત્યાંથી અમદાવાદ જવા રવાના થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here