ફકીર સમાજના ચિંતક એવા મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન ફકીર સમાજના અગ્રણીઓએ સૌરાષ્ટ્રના ફકીર સમાજ સાથે શુભેચ્છા મુલાકાત પ્રવાસ ખેડ્યો

મોરબી, આરીફ દિવાન

કોરોના મહામારી અંતર્ગત સમાજ ચિંતકો સમાજના લોકોને પોતાની યથાશક્તિ મુજબ મોબાઈલના માધ્યમથી કે વાયા મીડિયા સંપર્ક કરી સમાજ સેવાનું કાર્ય કરેલ હતું હાલ કોરોના મહામારી દરમિયાન સરકારની ગાઈડલાઈન્સ મુજબ મેગાસિટી ને બાદ કરતા અમુક જિલ્લાઓમાં થોડી ઘણી અર્થે લોક ડાઉન મુક્ત છે ત્યારે સમાજના નાના-મોટા પ્રશ્નો અંતર્ગત ખબર અંતર ચરોતર ગુજરાત મધ્ય ગુજરાત ચરોતર સહિત સૌરાષ્ટ્રના પ્રવાસ અંતર્ગત મુસ્લિમ દિવાન ફકીર સમાજ ના અગ્રણી ઐયુબશા બાપુ આણંદ,રફીક સેમસંગ,હુશેનશાહ મૌલાના, મુલતાન બાપુ ખંભાત,મ.રફિક કિસ્મત, સુકુન પઠાણ એ રાજકોટ ના ઈમ્તીયાઝ શા બાપુ ખોખર ની ઓફિસ પર શુભેચ્છા મુલાકાત કરી સમાજ ના કાર્યો ની ચર્ચા કરી સાથે ઈમ્તીયાઝ શા બાપુ એ મહેમાન નવાજી કરી હતી. સાથે નિકાવા રફિક બાપુ ની શુભેચ્છા મુલાકાત કરી રહ્યા છે સમાજ ની ચર્ચા હિત કાર્ય કરી સમાજની એકતા જળવાઈ રહે તેવા હેતુસર સમાજના કાર્યકરો સમાજ તકો સાથે મુલાકાત કરી રહ્યા છે ત્યારે અમદાવાદ થી રફિક બાપુ તથા મજબુત બાપુ સરખેજ ની પણ નિકાવા મુકામે રફિક બાપુ ને તયા શુભેચ્છા મુલાકાત કરી હતી. રફિક બાપુ નિરાશા વાળા એ ખુબ ઉષ્માભર્યું સ્વાગત કરી ખુબ જ સારી રીતે મહેમાન નવાજી કરવામાં આવી હતી. ત્યારબાદ સિક્કા મુકામે સમૂહ શાદી માં હાજરી આપી સમાજ ના ચિંતકો સમાજ પ્રત્યે એકતા ભાઈચારો જળવાઈ રહે અને સમાજમાં કુરિવાજો નેસ્તનાબૂદ થાય તેવા હિત પ્રયાસ અંતર્ગત સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી ગયા હતા તે વખતની યાદગાર તસવીરો નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here