હળવદ : ખેડૂતોને વીજ લાઈનના ઘડતરમાં અન્યાય થતાં આવનાર ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું !

હળવદ,(મોરબી) આરીફ દિવાન :-

હળવદના લાકડીયા વડોદરા 765 kv વીજ લાઈન ના વળતર બાબતે હળવદ પંથકના ખેડૂતો દેખાવ પ્રદર્શન કર્યું!

નજીકના દિવસોમાં 2022 વિધાનસભા અંતર્ગત રાજકીય નેતાઓનો સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે વિવિધ પ્રશ્નો અંતર્ગત મતદાર પ્રજા પણ પોતાના હક હિત અધિકાર માટે તંત્ર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી જન મેદની સાથે દેખાવો પ્રદર્શન કયું છે જેમાં હળવદ પંથકના મોટાભાગના ખેડૂતો દ્વારા

હળવદ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં હળવદ વિશાળ સંખ્યામાં ખેડૂતોએ તારીખ 17 11 2021 ના રોજ લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવેલ વિગત એવી છે કે
હળવદ પંથકમાં ખેડૂતોને લાકડીયા વડોદરા 765 કેવી વીજ લાઈનના વળતર બાબતે અન્યાય થતો હોવાથી ખેડૂતો આકરાપાણીએ થઈ અર્ધનગ્ન હાલતમાં વિરોધ કર્યો હતો અને વળતરમાં વધારો કરવા માંગ ઉઠવી છે. ખેડૂતોએ મામલતદારને આવેદન પત્ર પાઠવી જો આ દિશામા કાર્યવાહી કરવામાં નહિ આવે તો આગામી ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામા આવી છે. અને અનસન માટેની મંજૂરીની માંગ કરાતા તંત્ર દોડતું થયું છે.

હળવદ મામલતદાર કચેરી ખાતે હળવદ તાલુકાના ૨ાણેક૫૨, ધનશ્યામપુ૨ , કોયબા , ઢવાણા , રણજીતગઢ , કેદા૨ીયા , ધનાળા , જુનાદેવળીયા , સુ૨વદર પ્રતાપગઢ સહિત 15 ગામોના ખેડૂતોએ એકઠા થઇ આ ગામોમાં સ્ટરલાઇટ પાવર એનર્જી દ્વારા ચાલતી લાકડીયા વડોદરા 765 કેવી વીજ લાઈનની કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં વિરોધ નોંધાવી ખાનગી કંપની યોગ્ય વળતર આવ્યા વગર બળજબરી પૂર્વક ટાવર ઉભા કરતી હોવાના ધગધગતા આક્ષેપો કર્યા હતા. ખેડૂતોએ જણાવ્યું કે પ્રતિ ચોરસ મીટર 300 રૂપિયા વળતર આપવાનો જિલ્લા કલેકટર દ્વારા આદેશ કરાયો છે જેની સામેં ખેડૂતોને પ્રતિ ચોરસ મિટર 2013 રૂપિયાનું વળતર આપવામાં આવે તેવી અમારી માંગ છે.

ખાનગી કંપની છેલ્લા એક વર્ષથી ખેડૂતોને હેરાન પરેશાની કરતી હોવાની રાવ કરાઈ છે.આથી કંપનીના દમનથી કંટાળી ગયેલા નારાજ ખેડૂતોએ શર્ટ ઉતારી અર્ધનગ્ન હાલતમાં આકરો વિરોધ નોંધાવ્યો હતો. વધુમાં ખેડૂતોએ આવતીકાલ માટે અનશન ઉપર બેસવાની પરમિશન લેવા માટે અરજી કરતા તંત્ર દોડતું થયું છે.

ખેડૂતોની માંગનો સ્વીકાર નહિ થાય તો ઉગ્ર આંદોલન કરી આગામી સમયમાં આવતી ગામડાની ચૂંટણીમાં 500 થી વધારે પરિવાર દ્રારા મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. નોંધનીય છે કે હાલ ગ્રામ્ય વિસ્તારમાં સરપંચની ચૂંટણી અને વિધાનસભા 2022 ચૂંટણી અંતર્ગત મોટાભાગના રાજકીય નેતાઓ વિવિધ શહેર-જિલ્લામાં રાજકીય ક્ષેત્રે સેન્સ પ્રક્રિયા સાથે સાથે સત્તા પ્રાપ્ત કરવાના પ્રયાસોમાં લાગી ગયા હોય એમ જુદા જુદા કાર્યક્રમો આપી રાજકીય ક્ષેત્રે સત્તા પ્રાપ્ત કરવાના પ્રયાસોમાં પડ્યા છે એવા સમયે ખેડૂત ચિંતક નેતાઓ આ ખેડૂતોના પ્રશ્નો અંગે યોગ્ય ખેડૂત હિત કાર્ય કરી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે એ તો આવનારો સમય જ કહેશે હાલ હળવદ પંથકમાં ખેડૂતોને અન્યાય હતા ન્યાયની અપેક્ષા સાથે લગતા વળગતા અધિકારીઓ ને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું છે જે મોટી જન સંખ્યામાં ખેડૂતો તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here