બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-
હર વર્ષની જેમ આ વર્ષે પણ પાવાગઢની. ૨૨ મી પરિક્રમા મહાકાળી માતાજીની બાવન ગજની ધજા તથા ગંગા પૂજન નું સુંદર આયોજન સત્ય હનુમાન મંદિર રામ ટેકરી પાવાગઢ મા કરવામાં આવ્યું છે તેમજ મુરલીધર ગૌ શાળા રામટેકરી પાવાગઢ ના મહંત શ્રી ગાબડીયા બાપુ ની સાનિધ્યમાં આયોજન કરેલ છે પરિક્રમાનો પ્રારંભ તારીખ ૧૭/૧૧/૨૧ થી તારીખ ૧૯ /૧૧/૨૧ ના કારતક સુદ પૂનમ. દેવ દિવાળીના દિવસે સવારે મહાકાળી માતાજીની બાવન ગજની ધજા ચડાવીને પરત શ્રી સત્ય વિજય હનુમાનજી મંદિર રામટેકરી મહાપ્રસાદ લઈ ને પરિક્રમાનો પૂર્ણહૂતી થશ આ પરિક્રમા દરમિયાન ભાવી ભક્તોને રહેવા-જમવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે પરિક્રમામાં સરકાર ની ગાઈડલાઈન મુજબ માસ્ક અવશ્ય પહેરવાનું રહેશે આયોજીત શ્રી સત્ય જય હનુમાન મંદિર રામ ટેકરી પાવાગઢ મહંત શ્રી ગાબડીયા મહારાજ તેમજ ગાબડીયા યુવક મંડળ રામટેકરી પાવાગઢ પંચમહાલ.