મોરબી, આરીફ દિવાન :-
આશીકે ગોસીયા દ્વારા ઈબાદત કરી ન્યાજ શરીફ કાર્યક્રમો યોજાયા
સમગ્ર રાજ્ય સહિત સૌરાષ્ટ્રભરમાં ઠેરઠેર જશને 11મી શરીફ ના કાર્યક્રમો શહેર-જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યા હતા જેમાં દરુદે શરીફ કુરાને શરીફની તિલાવત ન્યાજ શરીફ ના કાર્યક્રમો સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યા હતા જેમા ભાવનગર શહેર જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તાર તેમ જ મોરબી રાજકોટ જામનગર જૂનાગઢ પોરબંદર વેરાવળ વગેરે સહિત ગ્રામ્ય વિસ્તાર માં જશને 11મી શરીફ ના ઉત્સાહભેર કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં મસ્જિદમાં ફૂલો સહિત વિવિધ લાઇટ ડેકોરેશન ડેકોરેશન થી સજાવટ કરવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમમાં આશીકે રસુલ આશિકી હુસેન આશીકે ગૌષિયા સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો રાબેતા મુજબ યોજવામાં આવ્યા હતા હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી સરકાર ની ગાઈડલાઈન અંતર્ગત સમગ્ર સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા જશને 11મી શરીફ ની ઉજવણી કરી હતી.