હજરત જમિયલશા દાતાર બાવાના ૩૯મા ઉર્સ મુબારક ની તેજગઢ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરાઈ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

તારીખ ૨૮/૦૨/૨૦૨૪ ને બુધવાર ના રોજ હજરત જમિયલશા દાતાર બાવા સાહબ ના ૩૯ માં ઉર્સ મુબારકની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ વટવા શરીફના સૈયદ અલીરઝા બાવા સાહેબના હાથ મુબરારકથી સંદલ તથા ચાદર ચઢાવવામાં આવી હતી. જેમાં તેજગઢ મસ્જિદ ના ખતીબો ઇમામ સાહેબ, ઉર્સ કમિટીના સભ્યો તથા તેજગઢ મુસ્લિમ પંચ ના તમામ બિરાદરો દ્વારા નાત શરીફ પઢી સમગ્ર ભારતના તમામ લોકો ની ઉન્નતિ અને તરક્કી થાય તેવી દુઆ કરવામાં આવી હતી. ત્યારબાદ શેખ વહિદભાઈ અનવર ભાઈ તરફથી આમ ન્યાજ્ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે જમિયલશા દાતાર બાવા સાહેબ નો પ્રથમ ઉર્સ શરીફ ૧૫/૦૫/૧૯૮૫ ના વર્ષ માં ઉજવવામાં આવ્યો હતો ત્યારથી લઈને આજસુધી ઉર્શ મનાવવામાં આવે છે.અને ગ્રામજનો આ પ્રસંગે દૂઆઓ કરી પોતાની મનોકામના પુરી કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here