કેવડિયા,(નર્મદા) આશિક પઠાણ :-
યુધ્ધ વિજય ને 50 વર્ષ પુર્ણ થતા ભારતીય સેના દ્વારા ” સ્વર્ણિમ વિજય વર્ષ ” તરીકે ઉજવણી
વિજયની ઉપલબ્ધિમા દિલ્હીથી દેશના ચારેય દિશામા મોકલેલ વિજય મશાલ નુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સેનાના અધિકારીઓની હાજરી મા આગમન
આર્મિ બેન્ડ ની સુરાવલી સાથે થસે મસાલ ડીસ્પ્લે અને યુધ્ધ મા સામેલ જવાનો ને સન્માનિત કરવામાં આવ્યા
ભારતીય સેના દ્વારા પાકિસ્તાન સામે ના 1971 ના વર્ષમાં થયેલા યુધ્ધ વિજય ને ” સ્વરણિમ વિજય વર્ષ ” તરીકે ઉજવવામાં આવી રહેલ છે, વિશ્રવ ની સહુથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત રહી ને સેના ના જવાનો દ્વારા આ વિજય દિવસ ની અનોખી રીતે ઉજવણી આજરોજ કરવામાં આવી હતી.
” સ્વર્ણિમ વિજય વર્ષ ” ની ઉજવણીના ભાગ રૂપે આજરોજ દિલ્હીના નેશનલ વૉર મેમોરીયલ ખાતેથી દેશના ચારેય દિશામા મોકલેલ વિજય મશાલ સેના ના ચુસ્ત બંદોબસ્ત અને શિસ્ત સાથે સટેચયુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચી હતી , જયાં વિજય મશાલ નુ સન્માન સાથે સ્વાગત સેના ના અધિકારીઓ અને જવાનો એ કર્યુ હતુ .
પાકિસ્તાન સામે ના 1971 ના યુધ્ધ મા દેશ કાજે દુશ્મનો સામે લડનાર અધિકારીઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા, મેડલ અને કેપ આપી સન્માનિત કરાયા હતા.જે પરસંગે નર્મદા જીલ્લા પોલીસ વડા સહિ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા સી.આઇ એસ.એફ. ના વડા ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટીખાતે પાકિસ્તાન સામે ના યુધ્ધ મા વિજય મેળવ્યા ની ઉપલબ્ધિ બદલ એક શાનદાર કાર્યક્રમ આર્મી દવારા યોજવામાં આવ્યુ હતુ .”સ્વરણિમ વિજય વર્ષ ” ની ઉજવણી ના ભાગ રૂપે સટેચયુ ઓફ યુનિટી ખાતે મશાલ સાથે આર્મી ના બેન્ડ દેશ ભક્તિ ના ગીતો ની સુરાવલી રેલાવી હતી . આમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક ભવ્ય કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી. જેને સટેચયુ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત પરવાસીઓ એ પણ મનભરીને ઉત્સાહ ભેર માણ્યો હતો,
સટેચયુ ઓફ યુનિટી ખાતે આવેલ મશાલ 30 મીના રોજ મુંબઈ ખાતે રવાના કરવામાં આવસે નુ કેપ્ટન રાજા એ જણાવ્યું હતું.