નર્મદા જીલ્લાના દેડિયાપાડા ખાતે જુગાર રમતા 8 ખાનદાન નબીરાઓને પોલીસે ઝડપી પાડયા 4 જુગારીઓ ફરાર

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ઝડપાયેલા જુગારીઓ પાસે થી પોલીસે રુપિયા 64940 નો મુદ્દામાલ જપ્ત કર્યો

નર્મદા જીલ્લા મા શ્રાવણ માસ દરમ્યાન જુગાર ની પ્રવૃત્તિ ઓ મોટા પ્રમાણ મા ચાલતી હોય ને નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિહ ની સુચના અને નાયબ પોલીસ વડા રાજેશ પરમાર ના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર સતેજ બની જુગારીઓ પટ ચાંપતી નજર રાખી રહી છે, તયારે નર્મદા જિલ્લા ના દેડિયાપાડા પોલીસ ને બાતમી મળતાં પોલીસે દેડિયાપાડા ના થાણાં ફળીયા મા જુગાર રમતા 8 જુગારીઓને દેડિયાપાડા પોલીસે ઝડપી તેમની પાસે થી રુપિયા 63940 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અને જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર દેડિયાપાડા પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ. વી. તડવીઅને એ.એન. પરમાર નાઓને પોતાના ખાનગી બાતમીદારો દ્વારા બાતમી મળેલ હતી કે દેડિયાપાડા ના થાણાં ફળીયા ના સુનીલ વાગડીયા વસાવા ના ધર ની પાછળ જુગાર રમવામાં આવી રહયું છે બાતમી ના આધારે પોલીસે રેડ કરતા દેડિયાપાડા ના ખાનદાન નબીરાઓ 1) ગુલાબસિગ મુળજીભાઇ વસાવા 2) મોહનભાઇ તલારામ પટેલ 3) નિકંજ મેધરાજ પાટીલ 4) જીજ્ઞેશ વિનોદભાઇ ખેરનાર 5) શૈલેષ રતનભાઇ વસાવા 6) અક્ષયભાઇ માંગીલાલ જૈન 7) હસમુખ હીરાલાલ વસાવા 8) નીરવ નરેશભાઈ મોદી નાઓને રંગેહાથ જુગાર રમતા ઝડપી પાડયા હતા.

ઝડપાયેલા આરોપી ઓ પાસે થી પોલીસે રોકડ સહિત મોબાઈલ મળી કુલ 64940 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ ની રેઇડ દરમ્યાન આરોપીઓ 9 ) નયન વિનોદભાઇ ખેરનાર અને 10 ) સંદિપસિંહ હેપ્પી બેકરીવાળો 11)દિવયેશ વિઠ્ઠલ વસાવા 12) સુનિલ વાગડીયા વસાવા નાઓ ફરાર થઈ ગયા હતા. ફરાર જુગારીઓ ને પોલીસે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here