સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતાં પ્રવાસીઓ માટે કેસુડા ટુરનો પ્રારંભ કરાયો

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જીલ્લા ના જંગલો માં વસંત ઋતુ માં ખીલેલા કેસુડા નાં ફુલ જોવાનો લ્હાવો માણતા પ્રવાસીઓ આનંદિત થયા

સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકાતનગર ખાતે કેસુડા ટુરનું શુભારંભ કરવામાં આવ્યો છે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેતા પ્રવાસીઓ વસંતઋતુમાં ખાસ વિંધ્યાચલ પર્વત માળા માં નવપલ્લવિત થઈ રહેલા જંગલની મુલાકાત લઈ શકે તે માટે ખાસ “કેસુડા ટુર” શરુ કરવામાં આવી છે.

વસંતઋતુના આગમનની સાથે જ એકતાનગર આસપાસનો વિસ્તારમાં 65 હજારથી વધુ કેસુડાના વૃક્ષો હોવાથી સમગ્ર વિસ્તારનું વાતાવરણ કેસુડામય બની જાય છે, જેનો લાભ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ લઈ શકે તે માટે શરુ કરવમાં આવેલ કેસુડા ટુર” મા પ્રવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા, અને જંગલો માં ફરી કેસુડા નાં સોળે કળાએ ખીલેલા ફૂલો નીહાળી આનંદ વિભોર થયા હતા.

હવે કેસુડા ટુરમાં સહભાગી કેવી રીતે થઈ શકશો તેની વાત કરીએ તો, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ વેબસાઈટ પર ટિકીટ બુક કરાવી સવારે 7થી 10 અને સાંજે 4થી 07 વાગ્યા સુધીમાં સહભાગી થઈ શકશે…. કેસુડા ટુર માટે અલગ અલગ ત્રણ રૂટ તૈયાર કરવામાં આવેલ છે. જ્યાં પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઇને કેસુડાની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલ અમુલ્ય વન્ય વારસાને માણી શકશે. પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે. જ્યાં ટ્રેકિંગની સાથે સાથે ખલવાણી ઈકોટુરિઝમ સાઈટની પણ મુલાકાત પણ લઈ શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here