સે નો ટુ પ્લાસ્ટિકનો અભિગમ અપનાવી પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવીએ : ચીમન વસાવા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

વૈશ્વિક સ્તરે કોઇ પણ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો એની પાછળનું આશય એ ગહન ચિંતન કરવામાં માટેનો છે. તા. ૩જી, જુલાઇના રોજ વિશ્વભરમાં પ્લાસ્ટિક ફ્રિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેનો આશય પ્લાસ્ટિકના વધતા જતા પ્રદૂષણ બાબતે જાગૃતિ લાવી પ્લાસ્ટિકના વપરાશને નિયંત્રિત કરવાનો છે. વર્ષ ૨૦૦૮થી દર વર્ષે તા. ૩૦. જુલાઇને વર્લ્ડ પ્લાસ્ટિક ફ્રિ દિવસ
તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ પ્લાસ્ટિક મુકત દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં પ્લાસ્ટિકથી જીવસૃષ્ટિ અને પર્યાવરણ પર થતી વિપરિત અસરો અંગે જાગૃત કરવાનો છે. વૈશ્વિક સ્તરે જે રીતે પ્લાસ્ટિકના ઉપયોગમાં વધારો થઇ રહ્યો છે એ જોતા એવું લાગે છે કે આપણને પ્લાસ્ટિકનું વ્યસન થઇ ગયું છે. પ્લાસ્ટિક આપણા રોજ બરોજના જીવનનું સાથી બની ગયું હોય એમ આપણે પ્રકૃતિની પરવા કર્યા વગર પ્લાસ્ટિકનો આધળો ઉપયોગ કરી રહ્યા
છીએ જેની ગંભીર અસર પર્યાવરણની સાથે જીવસૃષ્ટિ પર પણ પડી રહી છે. એક અંદાજ મુજબ સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૪૦૦ મિલિયન ટન્સ જેટલો પ્લાસ્ટિકનો કચરો આપણે ફેલાવીએ છીએ. એના મુકાબલે એનો રિ-યુઝ અને રિ-સાયકલીંગનો દર ખૂબ ઓછો હોવાને કારણે અહીં તહીં સર્વત્ર પ્લાસ્ટિકના ગંજ આપણે ખડકી રહ્યા છીએ. એનુ સૌથી મોટું કારણ એ છે કે આપણને બજાર કરવા જતી વખતે ઘરેથી થેલી લઇને જવામાં નડતી શરમ છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિકથી થતું પ્રદૂષણ એ સૌથી ખતરનાક પ્રદૂષણ છે જેની વિપરિત અસરોથી પર્યાવરણ, માનવસૃષ્ટિ, પ્રાણીસૃષ્ટિ કે જલીય જીવસૃષ્ટિ પણ બાકાત નથી. પ્લાસ્ટિક એક એવી જેનો નિકાલ કરવો ખૂબ કઠીન કામ છે. જો પ્લાસ્ટિકને જમીનમાં દાટીને એનો નિકાલ કરવામાં આવે તો એ લાંબા સમય સુધી સડતું નથી માટે એને દાટીને નિકાલ કરી શકાય એમ નથી. જો સળગાવવામાં આવે તો એનાથી મોટી માત્રામાં કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન થવાને કારણે પર્યાવરણીય પ્રદૂષણનો ગંભીર મુદ્દો ઉપસ્થિત થવાથી ગ્રીન હાઉસ ગેસ ઇફેકટનો ખતરો ઉભો થાય છે
ભારતની વાત કરીએ તો દેશમાં દર વર્ષે ૩.૪ મિલિયન ટન્સ પ્લાસ્ટિક વેસ્ટ આપણે પેદા કરીએ છીએ. ૩.૪ મિલિયન ટન પ્લાસ્ટિક વેસ્ટ પૈકી માત્ર ૩૦ ટકા જ રિસાયકલ થાય છે બાકીનું પ્લાસ્ટિક કયાંક તો આમ તેમ પડયું હોય છે અથવા તો નદીઓ મારફત સમુદ્રમાં તણાઇ જાય છે જે જલીય જીવસૃષ્ટિની સામે અસ્તિત્વનો ખતરો ઉભો કરે છે.
સમગ્ર વિશ્વ પ્લાસ્ટિક પ્રદૂષણથી પર્યાવરણ અને જીવસૃષ્ટિ પર થતી વિપરિત અસરો અંગે ગંભીરતાથી વિચારી રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણીય સમસ્યાઓને
સમજવા તથા પ્રદૂષણથી ઉભા થયેલા ગંભીર પડકારોને પહોંચી વળવા માટે અલગ કલાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરીને સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજયમાં પ્લાસ્ટિકના પ્રદૂષણને નાથવા રિડયુસ, રિ-યુઝ અને રિસાઇકલની પોલીસી પર પ્લાસ્ટિક પ્રદૂષણને ઓછું કરવાની દિશામાં નકકર કામગીરી કરવામાં આવી રહી છે.
સરકાર દ્વારા સમગ્ર રાજયમાં પ્લાસ્ટિકની વસ્તુઓનું રિસાયકલિંગ કરી શકાય એ માટે જુદી જુદી એજન્સીઓને કામગીરી સુપરત કરવામાં આવી છે. જે પ્લાસટિક વેસ્ટનું કલેકશન કરી તેને કેટેગરાઇઝ કરીને તેનું રીસાઇકલિંગ કરે છે.
પર્યાવરણ તેમજ સમગ્ર જીવસૃષ્ટિને સ્વચ્છ અને કોઇ પણ પ્રકારના પ્રદૂષણ રહિત જીવન આપવું એ માત્ર સરકારની જ જવાબદારી નથી. આપણે પણ આ દેશના નાગરિક તરીકે આપણી જવાબદારી સમજી સે નો ટુ પ્લાસ્ટિકનો અભિગમ અપનાવીશું તો જ આ પ્લાસ્ટિક ફ્રિ દિવસની ઉજવણી સાર્થક લેખાશે એવું નથી લાગતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here