સિધ્ધપુરના સુજાણપુર રોડ ઉપરના અવાવરું કુવામાંથી યુવકનો મૃતદેહ મળ્યો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુરના સુજાણપુરા રોડ ઉપર એક ખેતરની બાજુમાં આવેલા આશરે ૮૦ ફૂટ ઊંડા અવાવરું કુવામાં લાશ પડી હોવાનો કોલ ગત ૧૦મી ના આશરે સાંજે ૬ કલાકે સિદ્ધપુર નગર પાલિકા ફાયરબ્રિગેડને મળતા ટિમ સત્વરે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જયાં ફાયરબ્રિગેટના બલસારાભાઈની ટીમ અને હોમગાર્ડ કપુરજીએ કેમીકલની અસહ્ય દુર્ગંધ મારતા દસથી પંદર ફૂટ પાણી ભરેલા કુવામા ઉતરી આશરે ત્રણથી ચાર કલાક ની જહેમત બાદ એક યુવકની લાશને બહાર કાઢી હતી.બાદમાં આ લાશને સિદ્ધપુર પોલીસને સોંપવામાં આવી હતી. કુવામાં મોતની છલાંગ લગાવનાર યુવકનું નામ પુષ્પા ઉર્ફે પંકજભાઈ કાંતિ ભાઈ રાવળ ઉ.વ.૩૭ મૂળ રહે.ખેરવાવાળા હોવાનું જાણવા મળેલ છે.મૃતક યુવકના પરિવારજનો સિધ્ધપુર જીઆઈડીસી પ્લોટ નંબર ૨૨૬ માં ચોકીકામ કરતા હોવાની વિગતો મળેલ છે.જોકે આ યુવકે કયા કારણોસર મોતને વ્હાલું કર્યું હશે તે જાણવા મળેલ નથી.આ અગાઉ અમુક વર્ષો અગાઉ આ કુવામાંથી એક સ્ત્રીની લાશ પણ મળી હતી. પોલીસે મૃતકની લાશનું સિદ્ધપુર સિવિલમાં પીએમ કરાવી લાશને વાલીવારસો ને સોંપી હતી.આ અંગે સિદ્ધપુર પોલીસમથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે.જેની આગળની તપાસ પોસઈ વી.જી. ઠાકોર ચલાવી રહ્યા છે.

આ અવાવરું કુવામાં કેમીકલવાળા પાણી ક્યાંથી આવ્યું તે તપાસનો વિષય છે… આવા ખુલ્લા કુવા અન્ય બીજા કોઈની ભોગ લે પહેલા તેને બંધ કરવા લોકમાંગ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here