તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ
નર્મદા જિલ્લામાં દિવસેને દિવસે ચોરીના કેશોમાં વધારો થઈ રહ્યો છે તિલકવાડા પોલીસ દ્વારા વધતી જતી ચોરીઓને રોકવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ છતા આ ચોરીઓના કેશો નોંધાય રહ્યા છે આ વધતી જતી ચોરીઓ જાણે નર્મદા પોલીસ માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ તિલકવાડાં તાલુકાના સાવલી નગરમાં રહેતા નટવરભાઈ કાલિદાસ ભાઈ પ્રજાપતિના મકાન માં ગત રોજ રાત્રી ના એક વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ ઘૂસી ગયો હતો મકાનના તાળાનો નકુચો કટર વડે કાપીને અંદર આવી બીજા દરવાજાનો નકુચો પણ કટર વડે કાપીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરની તિજોરીને ખોલતા તિજોરીના અવાજથી બાજુના ઘરમાં રહેતા માણસો જાગી ઉઠ્યા હતા માણસો જાગી ઉઠતા ચોરીના ઇરાદે ઘરમાં પ્રવેશ કરેલા ઇસમ સ્થળ છોડીને ભાગી છૂટ્યો હતો.
ઘટનાની જાણ તિલકવાડાં પોલીસને થતા તિલકવાડાં પોલીસ દ્વારા અજાણ્યા ઈસમ વિરુદ્ધ કલમ 457-480-511 મુજબ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.